SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરીશ્વર અને સપ્રા. જેમકે સિવાય બીજા કોઈની પણ આજ્ઞા માનવી નહિ.” (ઈ. સ. ૧૫૬૦) આ ઢઢરે બહાર પાડવા સાથે રામખાન ઉપર પણ એક વિનયથી ભરેલો પત્ર લખ્યો. તેમાં તેણે જણાવ્યું કે-“ આપની સજજનતા અને વિશ્વાસ ઉપર નિર્ભય રહીને રાજ્યને સમસ્ત ભાર આપના પર સોંપીને, મેં અત્યાર સુધી આનંદ કર્યો છે. હવે હું રાજ્યભાર મારા હાથમાં લઉં છું. આપ મક્કા જવાની અભિલાષા પ્રકટ કરતા હતા, તે તે પ્રમાણે હવે આપે મક્કા ખુશીથી પધારવું. આપને ભારતવર્ષનું એક ખાસ પરગણું આપવામાં આવશે, આપ તેના જાગીરદાર થશે, અને તેની જે આવક થશે, તે આપના નેકરે આપના પર મોકલી આપશે.” પરિણામે રામખાન આગરાથી મકાને માટે વિદાય થયે, પરંતુ અકબર પ્રત્યે તેને વિરોધભાવ જાગ્રત થવાથી તે મકકે ન જતાં પંજાબ તરફ વળે. એવા ઈરાદાથી કે–અકબરની સાથે યુદ્ધ કરવું.” આ સમાચાર અકબરને પહેલાં જ મળી ગયા અને તેથી તેનું લશ્કર પંજાબ તરફ પહોંચી ગયું. આ યુદ્ધમાં સમ્રાહ્ના સેનાપતિ મુનીમખાને બૈરામ ખાનને કેદ કરી લીધે (ઈ. સ. ૧૫૬૦). આ અકબરે આ પ્રમાણે રાજ્યસત્તા પિતાના હાથમાં લીધી, તે. પણ એટલું તે ખરૂં જ તે ખરાબ સહવાસમાંથી એકદમ છૂટી શકે નહિં. કહેવાય છે કે-તે ત્રણ વર્ષ પછી જ સર્વથા સ્વતંત્ર અથવા તે ખરાબ સહવાસથી બચવા પામ્યું હતું. - જ્યાં જુઓ ત્યાં રાજાઓમાં આ દુર્ગણ મહેટ હોય છે. પોતાની બુદ્ધિમત્તાથી કાર્ય કરનારા અને ન્યાયને તપાસનારા રાજાઓ બહુજ થતા હોય છે. પાવત્તિ મનુષ્યના કથન ઉપર ચાલનારા રાજાઓ વધારે જોવામાં આવે છે. અત્યારે ઘણુંએક દેશીરાજ્યમાં પ્રજાને પિતાના રાજા પ્રત્યે અભાવ કે ઘણા જોવામાં આવે છે. એનું કારણ એજ છે કે રાજાની પાસે બેસનારા ખુશામતિયાઓ રાજાને ભલે મનાવવાની ખાતર અથવા તે પિતાનું ઈષ્ટ સાધવાની ખાતર રાજાના કાનમાં કંઇ ફઇ ભરાવે છે અને તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy