SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રાજિ . - હુમાયુને કંઈ પણ પ્રતીકાર ન કર્યો. આથી અમરકોટને રાજા કુદ્ધ થયે અને તેણે પોતાનું સિન્ય હુમાયુન પાસેથી લઈ લીધું, હવે હુમાયુન પહેલાંની માફક પાછે અસહાય થયે. તેણે પોતાના પુત્ર (અકબર) અને સ્ત્રીને લઈને કંધાર તરફ પ્રયાણ કર્યું. તે વખતે ત્યાં રાજા હુમાયુનને ભાઈ કામરાન હતો. તેણે અને તેના બીજા ભાઈ અસ્કરીએ હુમાયુનને કેદ કરવાને યત્ન કર્યો, પરંતુ હુમાયુન તેજ વખતે અકબરને ત્યાં પડતું મૂકી સ્ત્રીને સાથે લઈ પલાયન થઈ ગયે. અકબર બાલ્યાવસ્થામાં જ માતા-પિતાથી વિયેગી બની, પિતાના શત્રુના પંજામાં સપડાઈ ગયે. આ બાળકને ઉઠાવી જઈ અસ્કરીએ તેનું સંરક્ષણ કરવાનું કામ પિતાની સ્ત્રીને સેંપ્યું 1 હુમાયુન ત્યાંથી ટી ઈરાનમાં ગયા. ત્યાંના રાજાની સખ્તાઈથી તેને શીઆધર્મ સ્વીકાર પડશે. એ પ્રમાણે શીઆલમને સ્વીકાર કરીને પણ તેણે ઈરાનના રાજાની મહેરબાની મેળવી, અને એ મહેરબાનીના પરિણામે કેટલુંક સિન્ય અને દ્રવ્યની સહાયતા મે. ળવીને તેણે કંધાર અને કાબુલ ઉપર ચઢાઈ કરી. આ લડાઈમાં એક વખત તે તેણે કંધાર અને કાબુલને અધિકાર મેળવી પોતાના પ્યારા પુત્રને પણ પ્રાપ્ત કર્યો, પરંતુ બીજી વખત કામરાન છે, અને તેણે કાબુલ તથા અકબરને પાછો લઈ લીધે. એક વખત એ પ્રસંગ બન્યું કે હુમાયુન તોપના ગેળા કાબુલ ઉપર છેડવાની તૈયારી કરવા લાગ્યું અને કામરાનને જ્યારે બીજો કોઈ ઉપાય ન ચા, ત્યારે તેણે અકબરને તેપના મેંઢાની સન્મુખ કિલલા ઉપર લાવીને ઉભે કર્યો. આથી હુમાયુને તે છેડવાનું કામ બંધ રાખ્યું. એમ ધારીને કે-બીજાને ક્ષય કરવા જતાં હાલે અકબર ખપી જશે.” આ ભાઈયેની લડાઇમાં પરિણામે તે કામના હાર્યો અને તે ભારતવર્ષમાં નાશી ગયે. આથી હુમાયુને કાબુલ અને અકબરને પ્રાપ્ત કર્યા. હુમાયન પણ કામરાનથી કંઈ કમ નિષ્ફર-નિય હે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy