SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સહઅરિચય : પછી ઈ. સ. ૧૫ર૭ ના માર્ચની ૧૬ મી તારીખે ચિત્તોડના રાણા સંગ્રામસિંહના લશ્કરને ખાનવા ( ભરતપુર) આગળ હરાવ્યું હતું. આ બાબરના સંબંધમાં આપણે વિશેષ વિવેચનમાં નહિ ઉતરતાં માત્ર એટલું જ કહીશું કે સંસારની સપાટી ઉપર હજાર રાજાઓ જેમ અપયશના પેટલા બાંધીને સંસારથી વિદાય થઈ ગયા છે, તેમ બાબર પણ તેજ માગે ઇ. સ. ૧૫૩૦ માં ૪૮ વર્ષની ઉમરે પિતાની તેફાની જિંદગીને પૂરી કરી વિદાય થઈ ગયે. તે પછી તેને પુત્ર હુમાયુન બાવીસ વર્ષની ઉમરે દિલીની ગાદીએ બેઠે. દુર્ભાગ્ય બિચારી ભારતીય પ્રજાને હજુ સુધી શાતિનું સામ્રાજ્ય સ્થાપના કરનાર એક પણ રાજા ન મળે. ખરું છે કે-જે રાજાઓ રાજ્યના મદમાં મસ્ત બનીને પ્રજા પ્રત્યેના ધર્મો ભૂલી જાય છે, અથવા તે તે ધર્મોને સમજતાજ નથી, તેઓ પ્રજાને સુખ કયાંથી જ આપી શકે? હુમાયુના પણ બાબરથી બે માત્રા વધે િનિકળે. ખરી વાત તે એ હતી કે–તેનામાં રાજાના ગુણેજ હતા. તેના અફીણના વ્યસને તેને પાયમાલ કરી નાખ્યું હતું અને તેની તે અગ્યતાને લાભ લઈને જ શેરશાહે ઈ. સ. ૧૫૩૯ માં ચાસા અને કનોજની પાસે તેને હરાવ્યું, અને પિતે ગાદીએ બેઠા હતે. આ પ્રમાણે હુમાયુન પદભ્રષ્ટ થવાથી તે પશ્ચિમમાં નાસી ગયો હતે. અને છેવટે “મારે ભાઈ મને આશ્રય આપશે,' એ ઈચ્છાથી તે કાબુલમાં પિતાના ભાઈ કામરાન પાસે ગયે. પરતુ ત્યાં પણ તેને ધડે ન થ, કામરાને તે તેને લગાર પણ આશ્રય ન આપે. આથી તે પિતાનાં થોડાંક મનુષ્યની સાથે સિંધના રણમાં જ્યાં ત્યાં ભટકતેજ રહ્યો. સંસારમાં એક સરખા દિવસે હમેશાને માટે કેના કાયમ રહ્યા છે? સુખની પાછળ લાખ અને દુઃખની પાછળ સુખ-એ “અરઘટ્ટઘટી” ન્યાયથી સંસારને કે મનુષ્ય બચવા પામે છે? જે આ નિયમનું મનુષ્ય બારીકાઇથી અવકન કરે, તે સંસારમાં આટલી અનીતિ, અન્યાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy