SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ - કચેરીમાં ગયા, અને કહેવા લાગ્યા કે-“અમને મુક્કીએ મુક્કીએ માર્યા, હીરજી નાશી ગયે, અને તે કેટને પણ માનતા નથી.” આ સાંભળતાં ખાન વધારે ગુસ્સે થયે. મહાન શેર મચી ગ. પળે દેવાઈ ગઈ. રાજનેક સૂરિજીને જવા લાગ્યા. જતાં જતાં તેઓ તે ન મળ્યા, પરંતુ ધર્મસાગર અને શ્રતસાગર એ બે સાધુ હાથમાં આવી ગયા, આ બનેને ખૂબ માર્યો, અને પછી “આ તે તે (હીરવિજય) નથી,” એમ વિચારી તેમને છોડી મૂક્યા અને કોટવાલ તથા બીજા બધા માણસે પાછા વળ્યા. આ ધમાલ ઘણુ દિવસ સુધી ચાલી હતી અને આ ધમાલને અંત આવ્યા પછીજ હીરવિજયસૂરિ શાન્તિપૂર્વક વિહાર કરવા લાગ્યા હતા. ઉપર્યુંકત તમામ ઉપદ્ર ઉપરથી આપણે સહજ જોઈ શકીએ છીએ કે, તે જમાનાના અધિકારિયે કાયદાની બારીકાઈમાં કયાં સુધી આગળ વધેલા હતા ? એક સામાન્ય બુદ્ધિને માણસ પણ ન સ્વીકાર કરી શકે, એવી બાબતોને પણ સાચી માની એક મહાન ધર્મગુરૂને પકડવા માટે પોલીસ દેડાવવી, ઘોડેસ્વારે દેડાવવા અને ચારે તરફ ધમાધમ કરી મૂકવી, એ તે જમાનાની અરાજકતાને અથવા બીજા શબ્દોમાં કહીએ તે અધિકારિયેની નાદરશાહીને નમૂને નહિં, તે બીજું શું કહી શકાય? યેનકેન પ્રકારેણ પ્રજાને પાયમાલ કરવાવાળી બાબત નહિં તે બીજું શું ? અસ્તુ. ઉપર બતાવેલા ઉપદ્રો પૈકી છેલ્લે ઉપદ્રવ સં. ૧૬૩૬ ની સાલમાં થયે હતે, એ વાત આપણે ઉપર જોઈ ગયા છીએ. તે પછી તેઓ શાન્તિપૂર્વક વિહાર કરવા લાગ્યા હતા. સં. ૧૬૩૭ ની સાલમાં સૂરિજી બેરસદ પધાર્યા. અહિં તેમના પધારવાથી ઘણુ ઉત્સવો થયા. આ સાલનું ચોમાસુ અહિંજ પૂરું કરી સૂરિજી - ખંભાત પધાર્યા. અહિંના સંઘવી ઉદયકરણે સં. ૧૬૩૮ (ઇ. સ. ૧૫૮૨) ના મહા શુદિ ૧૩ ના દિવસે સૂરિજીના હાથે ચંદ્ર પ્રભુની પ્રતિષ્ઠા પણ કરાવી, તેમ તેણે આબરિોડ વિગેરેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy