SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિ પરિચય કરતા, તેમ તેમના ધાર્મિક સંસ્કારની દઢતા અને ધાર્મિક આવશ્યકીય ક્રિયાઓના અભ્યાસને માટે તેમને ધર્મગુરૂઓ પાસે પણ કાયમ મોકલતા. આજકાલના ગૃહસ્થની માફક તે વખતના ગૃહસ્થ એ ભય કે શંકા હોતા રાખતા કે- સાધુની પાસે જવાથી રખેને મારે છેક સાધુ થઈ જશે તે ?” સાધુ થવું અથવા પિતાના છેકરાને સાધુ બનાવે, એમાં ગૃહસ્થ પિતાનું અને પિતાના કુલનું ગોરવજ સમજતા હતા. બેશક, સાધુ થવાની ઈચ્છા રાખનારને તેઓ સાધુધર્મની કઠિનતા અવશ્ય સમજાવતા, પરંતુ સાધુ નહિ થવા દેવા માટે લડાઈ-ટંટા કરવાના કે કોર્ટોનાં બારણુ જેવાના પ્રસંગે બહુ ચેડાજ ઉપસ્થિત થતા. બકે, ઘણુ ખરા ભવભીરૂ અને નિકટભવી પુરૂષે તે પિતાના પુત્રને બાલ્યાવસ્થાથી સાધુને સમર્પણ કરવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત કરતા. જે તેમ ન હત, તે હેમચંદ્રા ચાર્ય ૫ વર્ષની ઉમરે, આનંદવિમલસૂરિ ૫, વિજયસેનસૂરિ ૯ વિજયદેવસૂરિ ૯, વિજયાનંદસૂરિ ૯, વિજયપ્રભસૂરિ ૯ વિજ્યદાનસૂરિ , મુનિસુંદરસૂરિ ૭ અને સામસુંદરસૂરિ ૭ વર્ષની ઉમરે -એમ હાની ન્હાની ઉમરમાં તેઓ દીક્ષા લઈ શકતેજ કેમ? ગુરૂઓ પણ એવી ન્હાની ઉમરમાં દીક્ષા આપવા પહેલાં તેની ખાનદાની, કુલ અને દીક્ષા લેવા આવનાર બાળકનાં લક્ષણો પણ જોતા જ. એવી રીતે તેની દીક્ષાઓ ઉપરથી કેઈએ એમ પણ નથી સમજવાનું કે તેઓ પોતાનું ગુજરાન ચલાવવાને અશક્ત હોવાથી સાધુ થઈ જતા હશે, અથવા તેમના વાલિયે સાધુ કરી દેતા હશે. નહિ, તેમ પણું હતું. આપણે તેઓનાં ચરિત્ર અને તેમની પ્રભાવક્તાઓ ઉપરથી સહજ જોઈ શકીએ છીએ કે, તે વખતે સારા સારા ખાનદાન કુટુંબના–ધનાઢય ગૃહસ્થના પુજ ઘણે ભાગે દીક્ષા લેતા હતા. અને તેથી તેઓ “શરમથી મત સાધુ:”એ આક્ષેપથી સર્વથા દૂરજ રહેતા. ખરૂં છે કે-જેઓ “દીક્ષા” ને ઐહિક અને પારેલૈકિક સુખનું પરમ સાધન સમજતા હોય અને જેઓ “શુદ્ધ ચારિત્ર” નેજ જગના ઉપર પ્રભાવ પાડવાને એક ચમત્કારિક જાદુ સમજતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy