SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પશિપતિ. પ્રજાને વધારે દુઃખદાયક થતી હતી. મરજી મૂજબ દંડ, મરજી મૂજબ સજા, મરજી મૂજબ કર અને નહિં જેવી આખતામાં પણ પ્રજાની ધડપકડથી ગુજરાતની પ્રજા ઘણીજ ત્રસ્ત થઈ રહી હતી. આ સમયમાં એકી અવાજે એકી નજરે રાષ્ટ્રીય સ્થિતિને સુધારનાર કોઈ મહાન્ પ્રતાપી પુરૂષની-સમ્રાટ્રની ગુજરાતનીજ નહિ; પરન્તુ ભારતવર્ષની સમસ્ત પ્રજા તરફથી પ્રતીક્ષા થઈ રહી હતી. તમામ આય પ્રજા એકી અવાજે પેત પેાતાના ઈષ્ટ દેવાને દિવસ અને રાત-ઊંઘતાં અને જાગતાં એજ પ્રાર્થના કરી રહી હતી કે- પ્રભા ? અમારા દુઃખના, અરે કાળા કેરના દિવસે દૂર કરે ! અમારા આર્યત્વની રક્ષાને માટે ભારતભૂમિમાં શાન્તિન સામ્રાજ્ય સ્થાપન કરે ! ! અમે હૃદયથી ઇચ્છીએ છીએ કે આ વીરપ્રસૢ ભારતમાતાની કુક્ષિથી એક એવા વીરપુરૂષ ઉત્પન્ન થાઓ કે ભારતમાં શાન્તિનુ સામ્રાજ્ય સ્થાપન 1કરે, અને અમારા ઉપરના આ જીલ્મ સર્વથા નાબૂદ કરે ! ! ! આ ભારતમાતા ! તું અમારાં આ દુઃખનાં આંસૂડાં દૂર કરવાનેા વખત નજીક નહિ લાવી આપે કે ? ” આ પ્રસંગે એક ખીજી વાત કહેવી પણ જરૂરની છે. દેશના હિતના આધાર જેમ દેશના અધિપતિ રાજા ઉપર રહેવા છે, તેમ સચ્ચરિત્રવાળા વિદ્વાનું મહાત્માઓ ઉપર પણ રહેલા છે. વિદ્વાન્ સાધુમહાત્માઓ જેમ પ્રજાના હિતને માટે પ્રજાને અનીતિથી દૂર રાખવા અને સમાગ પર લાવવા પ્રયત્ન કરે છે; તેમ નિડરપણે રાજાઆને તેમના ધર્માં સમજાવવામાં પણ તેએજ સિદ્ધહસ્ત નિવડી શકે છે. ગમે તેવા ઘનિષ્ઠ સંબધીની ઘણી ખુશામતાથી પણુ જે અસર નથી થતી, તે અસર, શુદ્ધ ચારિત્રવાળા મુનિના એક વચન માત્રથી થાય છે. ઇતિહાસનાં પૃષ્ઠો ઉથલાવી જૂએ. જ્યારે ને ત્યારે રાજાઓને પ્રતિમાધ કરવામાં કે પ્રજા પ્રત્યેના ધર્મ સમજાવવામાં જો કાઇ પણુ સલપરિશ્રમ નિવડયા હોય, તે તે ધર્મગુરૂઓજ છે. તેમાં જો નિષ્પક્ષપાતપણે કહેવામાં આવે, તે કહેવુ જોઇએ કે–ા Jain Education International સ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy