SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પરિસ્થિતિ. સિકંદર લેદીએ દેવમંદિર અને દેવમૂર્તિને નષ્ટ કરવાનું કામ ચાલુ જ રાખ્યું હતું. આવી રીતે અનેકાનેક વિપત્તિમાં જ ભારતવર્ષે ઈ. સ.ને પંદરમો સંકે પસાર કર્યો. હવે આપણે સોળમી શતાબ્દીમાં પ્રવેશ કરીએ, કે જે સમયની રૂપરેખા આ પુસ્તકમાં અમે બતાવવા માગીએ છીએ. સેળમી શતાબ્દીને પ્રારંભ થવા છતાં પણ ભારતવર્ષના દુખના દહાડા તે દૂર નહેતાજ થયા. કારણ કે મુસલમાન બાદશાહને ત્રાસ તેના ઉપર જેને તેજ કાયમ રહ્યો હતે. આટલું છતાં પણ એમ કહેવું જ પડશે કે–ભારતવર્ષમાં આધ્યાત્મિક ભાવના અને આર્યત્વનું અભિમાન એ બને જેવાં ને તેવાં કાયમ જ રહ્યાં હતાં. ભારતીય પ્રજાએ પોતાના જાતિત્વની રક્ષાને માટે લક્ષીનેતૃણસમાન ગણી હતી. એટલું જ નહિ પરંતુ પ્રાણુની પણ દરકાર કર્યા સિવાય ધર્મ રક્ષા” એજ મુખ્ય લક્ષ્યબિંદુ રાખ્યું હતું. આની સાથે વળી ભારતવર્ષ, દ્ધિ સમૃદ્ધિએ પણ કંઈ સર્વથા હીન હેતે થે. જે કે અત્યાર સુધીમાં નવા નવા લેભાવિષ્ટ મુસલમાન બાદશાહએ ભારતવર્ષને લૂંટી ઘૂંટીને પોતાના દેશ અને ઘરને ભરવામાં કંઈ કમી રાખી હતી. દષ્ટાન્તમાં–મહમૂદગિઝની વિગેરેની લૂટફાટે ઇતિહાસનાં પૃષ્ઠોમાં ચેખી રીતે આલેખાએલી છે. કહેવાય છે કેમહમૂદગિઝનીએ ઈ. સ. ૧૦૧૪ માં જ્યારે કાંગડા (કે જેને પહેલાં નગરકેટ અથવા ભીમનગર કહેતા) ને કિલે કબજે કર્યો, ત્યારે તેને અપાર સંપત્તિ મળી હતી. જેમાં એક ચાંદીને બંગલે પણ હતું. આ બંગલાની લંબાઇ ૯૦ ફીટ અને પહેળાઈ ૪૫ ફીટ હતી. તેને વાળીને ફાવે ત્યાં ઉભો કરી શકાય તે ત હતા. - આ તે એક દષ્ટાન્ત માત્ર છે. આવા અનેક બાદશાહએ ભારતવર્ષને લૂંટી લૂંટી પાયમાલ કરવાની-ખાલી કરવાની ચેષ્ટાઓ કરી હતી, છતાં ભારતવષને માટે તે, કાનખજરાના દાણા પગમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy