SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પરિરિથતિ. ઉદારતા, આવી વિશાળતા, આ પ્રેમ, આવી ધર્મશીલતા, આવી વીરતા અને આવા અપ્રાપ્ય વિદ્વાને વિદ્યમાનતા ધરાવતા હતા, તે સ્વર્ગસમાન ભારતની અત્યારે આવી સ્થિતિ ? ભારતનું ગૌરવ જૂઓ-આવી અઘઃપતન અવસ્થામાં પણ અત્યારે દુનિયાની સમસ્ત પ્રજાને એકી અવાજે સ્વીકારવું પડે છે કે, ભારતવર્ષને પ્રબળ પ્રતાપ એક વખત અનિર્વચનીય હતો. ભારતની પ્રજામાં કુદરતી રીતે જ વીરત્વ ઝળહળી રહ્યું હતું અને તેને જ એ પ્રતાપ હતું કે–ભારતીય પ્રજા “કમ” અને “ધર્મ” બનેમાં વીરવ દાખવી શકતી હતી. આવી અપૂર્વ શાન્તિ અને ગંભીર આનંદ-સાગરમાં કલેલ કરનારી ભારતીય પ્રજાને સંસારની પરિવર્તનશીલતાએ પિતાનો વિજળીની જેમ ચમત્કાર બતાવી આપે. એટલે જેણે દુખના દિવસે દેખ્યા હતા અને જેને પિતાના આર્યત્વની રક્ષા કરવાને માટે કઈ પણ પ્રકારના પ્રયત્ન સેવવા પડતા નતા, તે પરમશ્રદ્ધાળુ આર્ય પ્રજા૫ર એકાએક પઠાણેના હુમલાઓ શરૂ થયા. અમે જે સમયની સ્થિતિ બતાવવા માગીએ છીએ, તે સમયને આવવાને હજુ વાર છે, તેટલામાં તે પઠાણેએ ભારતની લમીના માહથી,પિતાની ક્રૂરતાને ત્રાસ ભારતની સમસ્તપ્રજા ઉપર વરતાવ શરૂ કર્યો. જે પઠાણએ એવા સિદ્ધાન્તપૂર્વક કમર કસી હતી કે કાં તે આર્ય ઇસલામી ધર્મને સ્વીકાર કરે, નહિં તે શરીરના ટુકડા કરાવવાને માટે તૈયાર રહે,” તે પઠાણેએ ભારતીય પ્રજાપર કેટલે ત્રાસ વરતાલે હે જોઈએ, તેનું સહજ અનુમાન થઈ શકે તેમ છે. નિરપરાધી લાખે મનુષ્યને મારી નાખવા, આર્ય રાજાએની જીવતાં ને જીવતાં ચામડી ઉતરાવવી, શિકારની ઈચ્છા થતાં આર્યપ્રજાને ઘેરી લઈ તે ઘેરામાં આવેલાં સ્ત્રી, પુરૂષ અને આળકને જુદી જુદી રીતે રીબાવીને મારવાં, દેવમૂર્તિયોને તે ટુકડા કરી તેની સાથે માંસના ટૂકડા લગાડી આર્ય પ્રજાને ગમે ફાવવા. ઈત્યાદિ જુદા જુદા પઠાણ રાજાઓ તરફથી થતા વારે . , , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy