SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પરિસ્થિતિ અલઈદ્રસી–અબ્દુલ્લાહ મુહમ્મદ કે જે અગિયારમી શતાબ્દિ (ઈ. સ.)ની અંતમાં થયે છે, તેણે કુતુકુરતાfહતાલુક્સમાં લખ્યું છે – ભારતવષય કે કુદરતી રીતે ન્યાય તરફ વળેલા હોય છે, “તેમના કાર્યોમાં એથીજ એ લકે પાછા પડતા નથી,એમને સારે “વિશ્વાસ, પ્રામાણિકપણું અને કથન પ્રમાણે વર્તવું–આ ગુણે સારી “રીતે જાણીતા છે. અને આ ગુણેને માટે તે લેકે એટલા તે પ્રસિદ્ધ “છે કે દરેક તરફથી લેકે એમના દેશ તરફ ખેંચાઈ આવે છે. માટે આ દેશ સમૃદ્ધિશાલી છે અને એમની સ્થિતિ બહુ સારી છે. ” આવી રીતે રાજાએ પણ પ્રજાને પ્રેમ સંપાદન કરવાને સચેષ્ટ રહેતા. રાજાએ પિતે જીવહિંસાથી દૂર રહી પ્રજાને તેમ કરવાને ફરજ પાડતા. ઘણાખરા રાજાઓએ પોતાના સમસ્ત રાજ્યમાં શિકાર ખેલધાનું યજ્ઞમાં પશુઓને વધ કરવાનું અને બીજી બીજી રીતે પણ જીવહિંસા કરવાનું સર્વથા બંધ કરાવ્યું હતું. રાજા અશોકે પોતાના રાજ્યમાં એવી આજ્ઞા ફેલાવી હતી કે “એક ધર્મવાળો બીજા ધર્મની કદાપિ નિંદા ન કરે.” આવી ઉદારવૃત્તિવાળી આજ્ઞાથી પ્રત્યેક મનુષ્ય નિડર થઈને પોતાના ધર્મનું પાલન કરવાને સમર્થ થાય એમાં નવાઈ જેવું શું છે? સુપ્રસિદ્ધ રાજા વિક્રમાદિત્યના વખતની ભારતવર્ષની જાહોજલાલી શું કેઈથી અજાણ છે જે વિદ્યા, વિજ્ઞાન અને વિવિધ પ્રકારની કળાઓને પ્રચાર આ પ્રતાપી રાજાના વખતમાંજ થયું હતું. અત્યારે દુનિયાના ઘણાખરા સંસ્કૃત સિદ્ધસેન દિવાકર અને કાલિદાસ જેવા જે મહાન કવિયેનાં પવિત્ર નામે પિતાની જિ ઉપર રટી રહ્યા છે, તેઓ આજ રાજાની સભાને શોભાવનાર ભારતના ચળકતા હીરા હતા. ચિત્રશુક્લા અને ભુવનનિર્માણકલાની પૂરજોશથી ઉન્નતિ પણ આજ રાજાના વખ( ૧ જૂઓ. એચ. એમ. ઇલિયટકૃત હીસ્ટરી ઑફ ઈડિયા . ૧ લું. ૫. ૮૮. --- --- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy