SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરીશ્વર અને સમ્રા. છે કે ત્યાં કપાસના છોડવાઓ પશ્ચિમના “વીલેઝ અને બહેનના ઝાડાની માફક ઉગે છે. દશ વર્ષ સુધી એક છેડ લાટ પાક આપે છે ગુજરાતની–નહિં નહિં ભારતવર્ષની રસાળતાનું આ વર્ણન શું બંકિમચંદ્રના ઉપયુંકત કથનને ટેકે નથી આપતું? ઇતિહાસનાં પૃષ્ઠો મથુરા,શ્રાવતિ, રાજગૃહી,એપારક, સારનાથ, તક્ષશિલા, માધ્યમિકા, અમરાવતી,સ્થભતીર્થ, ભિન્નમાલ, વૈશામ્બી, વૈશાલી, અણહિલ્લવાડ, પ્રતિષ્ઠાનપુર, કાશી, અધ્યા, ગિરિનગર,ગુકચ્છ (ભરૂચ),ચંદ્રાવતી અને નેપાલના કીતિસ્થંભે શિલાલેખે અને તામ્રપત્ર વિગેરે અત્યારે આ વાતની સપ્રમાણ દક્ષતાપૂર્વક સાક્ષી આપી રહ્યાં છે કે–ભારતવર્ષના ભૂષણ સમાન ચંદ્રગુપ્ત, અશક, સંપ્રતિ, વિક્રમાદિત્ય, તેરમાન, શ્રીહર્ષ, શ્રેણિક, કેણિક, ચંદ્રપ્રોત, અલ્લટ, આમ, (નાગાવલેક) શિલાદિત્ય, કક્ક પ્રતિહાર, વનરાજ, સિદ્ધરાજ અને કુમારપાલ જેવા હિન્દુ અને જૈનરાજાઓએ ભારતવર્ષની ઋદ્ધિ-સમૃદ્ધિને ભારતવર્ષમાં જ જાળવી રાખવા ઉપરાન્ત ભારતની કીર્તિલતાને દુનિયાની દશે દિશાઓમાં ફેલાવી હતી, એટલું જ નહીં પરંતુ ભારતની સમસ્તપ્રજાને પિતાપિતાના ધર્મની રક્ષા અને પ્રચાર કરવામાં સંપૂર્ણ રીતે મદદ કરી હતી અને તેથી ભારતવર્ષના મનુષ્ય સરલસ્વભાવી હાઈ પ્રેમની એક દેરીથી બંધાએલ હતા. પ્રજાને પોતાની માલ-મિલકતની રક્ષા કરવા માટે કંઈ પણ ચિતા કે પ્રબંધ કરે પડતે હેતે. મદિરા અને એવાં બીજા વ્યસનથી મનુષ્ય સર્વથા દૂર રહેતા. ભારતવર્ષની લેણદેણને વ્યવહાર લગભગ વિશ્વાસ ઉપર ચાલતું હતું. ન તે કઈ કેઈના જામિન લેતું કે ન કોઈ પ્રકારના કેલકરારે કરવામાં આવતા. આ ભારતવર્ષના મનુષ્યની પ્રામાણિકતા અને ન્યાયશીલતાનું જ પરિગુમ હતું. વિદેશી મુસાફરોએ ભારતવર્ષીય મનુષ્યના આ અપ્રતિમ ગુણ માટે પિતાના જમણવૃત્તાન્તમાં ઘણું ઘણું લખ્યું છે. આને એકજ દાખલે અહિ આપીશું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy