SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરીશ્વા અને સપ્રા. સારાં કામ કરવાની પ્રેરણા થાય, એવી દુવા કરે, કારણ કે-માણસ જાતમાંથી એકને રાજાને દરજે ઊંચે ચઢાવવામાં અને સરદારીને પહેરણ પહેરવામાં પૂરેપૂરું ડહાપણ એ છે કે--તે સામાન્ય મહેરબાની અને અત્યંત દયા કે જે પરમેશ્વરની સપૂર્ણ દયાને પ્રકાશ છે. તેને પોતાની નજર આગળ રાખી જે તે બધાની સાથે મિત્રતા મેળવી ન શકે તે કમમાં કમ બધાઓની સાથે સલાહ-સંપને પાયે નાખી પૂજવાલાયક જાતના (પરમેશ્વરના) બધા બંદાઓ સાથે મહેરબાની, માયા અને દયાને રસ્તે ચાલે. અને ઈશ્વરે પેદા કરતી બધી વસ્તુઓ (બધાં પ્રાણિઓ), કે જે ઊંચા પાયાવાળા પરમેશ્વરની સુષ્ટિનાં ફળ છે, તેમને મદદ કરવાની નજર રાખી તેમના હેતુઓ પાર પાડવામાં અને તેમના રીતરીવાજો અમલમાં લાવવામાં મદદ કર, કે જેથી બળવાન નિર્બળ ઉપર જુદમ નહિં ગુજારતા, દરેક મનુષ્ય મનથી ખુશી અને સુખી થાય. આ ઉપરથી ગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ હીરવિજય સૂરિ સેવા અને તેના ધર્મને પાળનારા, કે જેમણે અમારી હજૂરમાં હાજર થવાનું માન મેળવ્યું છે, અને જેઓ અમારા દરબારના ખરા હિતેચ્છુઓ છે, તેમના ગાભ્યાસનું ખરાપણું, વધારે અને પરમેશ્વરની શેધ ઉપર નજર રાખી હુકમ થયો કે-તે શહેરના (તે તરફના) રહેવાસીઓમાંથા કેઈએ એમને હરકત (અડચણ) કરવી નહિં, અને તેમનાં મંદિરે તથા ઉપાશ્રયમાં ઉતારે કરે નહિ; તેમ તેમને તુચ્છકારવા પણ નહિ. વળી જે તેમાંનું (મહિરે કે ઉપ2માંનું) કંઈ પડી ગયું કે ઉજજડ થઈ ગયું હોય, અને ૧ “વેતામ્બર જૈન સાધુઓને માટે સંસ્કૃતમાં પદ શબ્દ છે: તેનું અપભ્રંશ ભાષામાં વહુ રૂપ થાય છે. તે જ રૂપ વધારે બગડીને રકા થયું છે. તેવા શબ્દનો ઉપયોગ બે રીતે થાય છે. જેને માટે અને જૈન સાધુઓ માટે. અત્યારે પણ મુસલમાન વિગેરે કેટલાક લોકો જૈન સાધુઓને ઘણે ભાગે તેવતા કહીને બોલાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy