SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ મરીશ્વાર અને સમાજૂ તૈયાર થનાર પુત્રને, પિતાના મૃત્યુના પ્રસંગે આટલે બધે શેક! કેને પ્રતાપ? પિતૃનેહને ! સમ્રાટે એક માણસને આજ્ઞા કરી કે મારી તલવાર, રાજકીય પિશાક અને રાજમુકુટ સલીમને આપે.”વાહર સમ્રાટુ! ધન્ય છે તારા પુત્રવાત્સલ્યને ! મરવાની ઘડીએ પણ પુત્રને એક પણ ગુન્હ યાદ નહિં લાવતાં આટલી બધી ઉદારતા! સમ્રાટુ સમક્ષજ તેની શુંદ્વિમાં સમ્રાટે કહેલી વસ્તુઓ સલીમને સેંપવામાં આવી. સમ્રા જાણે આટલા કાર્ય માટે જો ન હોય, તેમ, પિતાના પુત્રને પિતાની શુદ્ધિમાંજ તે વસ્તુઓ અર્પણ કરી-દરેકની સાથે પિતાના અપરાધની ક્ષમા યાચી આખા ભારતવર્ષને શેકસાગરમાં ગમગીન બનાવી સદાને માટે વિદાય થઈ ગયે! ભારતવર્ષનું દૈભાગ્ય પાછું તરી આવ્યું. હાહાકાર મચી ગયે. ભારતવર્ષને દુઃખના મહાસાગરથી બચાવી લેનાર, રાષ્ટ્રીય સ્થિતિને ઉચ્ચ કેટી ઉપર લાવી મૂકનાર ભારતવર્ષને બીજે સૂર્ય પણ અસ્તાચલની અદાલતમાં જઈ બેઠા, એટલે ભારતમાં પાછે તે ને તે અંધકાર ફેલાઈ ગયે. અકબરને જીવનહંસ સંસાર સરોવરથી ઉલે ગયે. પચાસ વર્ષના રાજ્યકાલમાં અનેક આશાઓને પૂરી કરીને અને સેંક આશાઓને અધુરી મૂકી અકબર ચાલતે થયે. બીજા દિવસે પ્રાતઃકાળમાં તેના સ્થલ શરીરને મુસલમાની રિવાજ પ્રમાણે મહેતા આડંબર સાથે બહાર લઈ જવામાં આવ્યું. સલીમ અને તેના ત્રણ પુત્રે મળી ચારે જણે અકબરના શબને ઉઠાવ્યું, અને તેઓ કિલાની બહાર સુધી લાવ્યા. તે પછી દરબારના બીજા અધિકારીઓ આગરેથી ચાર માઈલ ઉપર આવેલ સિકન્દરામાં લઈ ગયા. સિકજરા સુધી ઘણું હિંદુ-મુસલમાને તેની સાથે ગયા હતા. ત્યાં સમ્રાનું સ્થૂલ શરીર કાયમને માટે ભારત માતાના પવિત્ર ખોળામાં સમર્પણ કરવામાં આવ્યું. પાછળથી સમ્રાટુ જહાંગીરે, જે બગીચામાં સમ્રાદ્ધ શબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy