SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ સમાનું ષ જીવન, થયો છે. તેણે અબુલફજલને મારવા માટે વીરસિંહ નામના એક આરવટિયાને સાચ્ચે, કે જે બારવટિયે ઘણું માણસ સાથે ચેકસ પ્રદેશમાં ઘણા વખતથી ઉપદ્રવ કરી રહ્યા હતા. અબુલફજલ જ્યારે સરાઇબરાર આવે, ત્યારે તેને એક ફકીરે કહ્યું કે-“કાલે તમને વીરસિંહ મારી નાખશે.” અબુલફજલે તેને એજ ઉત્તર આપ્યો કે-“મૃત્યુથી ડરવું નકામું છે. તેનાથી ર રહેવામાં કેણુ સમર્થ છે?’ બીજા દિવસે હવારમાં પિતાને પડાવ ઉપાડતાં પણ અકઘાનગદાઈમાને તેને બે વખત રેકર્યો, પરંતુ તેણે માન્યું નહિં અને આગળ ચાલ્યા. એટલામાં તે વીસિંહ ઘણું માણસ સાથે એકાએક તેના ઉપર ધસી આવ્યું. અબુલફજલની સાથે રહેલા છેડા માણસનું વીરસિંહના મનુષ્યની વિશાળતા આગળ કંઈ ચાલ્યું નહિં. જો કે અબુલફજલ દુશ્મની સાથે બહાદુરીથી ઘણું 'ઝૂઝ, તેના શરીર ઉપર બાર જખમ થયા, તે પણ છેવટે-અબુ ૧ સરાઇબરાર, એ ગ્વાલીયરથી ૧૨ માઈલ ઉપર આવેલ અંતરીથી ૩ કેસ થાય છે. આ અંતરીમાં અબુલફજલની કબર અત્યારે પણ વિદ્યમાન છે. ૨ વીરસિંહ, એનું પૂરું નામ વીરસિંહદેવ બુંદેલા હતું. કેટલાક લેખકોએ તેનું નામ નારસિંહદેવ પણ લખ્યું છે. તેના પિતાનું નામ મધુકર બુંદેલા હતું અને તેના હેટા ભાઈનું નામ રામચંદ હતું. સલીમને તેના ઉપર બહુ પ્રેમ હતુંતેણે અબુલફજલના કરેલા ખૂનના બદલામાં સલીમે તેને ઓરછા ઇનામમાં આપ્યું હતું. તેણે મથુરામાં કેટલાંક દેવળે બંધાવી ૩૩ લાખ રૂપિયાને વ્યય કર્યો હતે. તે દેવળને આરંગજેબે હી. સ. ૧૦૮૦ માં નાશ કર્યો હતે, સલીમે આ બહારવટિયાને આગળ વધારી ત્રણ હજારી બનાવ્યું હતું. વધુ માટે જૂઓવીસેન્ટ સ્મીથનું અંગરેજી અકબર, પૃ. ૩૦૫-૩૦૭, તથા આઈન-ઇ-અકબરાના પહેલા ભાગને અંગરેજી અનુવાદ પૃ. ૪૮૮. ૩ અબુલફજલ, તેને જન્મ ઈ. સ. ૧૫૫૧ ( હી. સ. ૫૮ ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy