SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ સુરીશ્વર અને સા. કનક શું? કબૂતરે તેની શી સેવા બજાવેલ છે કે જેથી તેના મૃત્યુથી તે દુખી થાય છે ? અને પેલા કમનસીબ ઊંદરે તેનું શું નુકસાન કરેલ છે, કે જેના મૃત્યુથી તે ખુશી થાય છે?” “આપણું ઈશ્વર પ્રત્યેની પ્રાર્થનામાં એવા ઐહિક સુખની માગણું નહિં હેવી જોઈએ કે–જેની અંદર બીજા અને હલકા ગણવાને આભાસ હોય.” તત્વજ્ઞાન સંબંધી વિવેચન મારે માટે એક એવી અલૈકિક મોહિની છે કે બીજા બધાં કાર્યોમાંથી મારૂ ચિત્ત તે તરફ ખેંચાય છે, અને મારી હમેશની ચાલુ જરૂરીયાતની ફરજો અદા કરવામાં બે દરકારી ન જણાય, તેવા ભયથી જ હું તત્ત્વજ્ઞાન સાંભળવામાંથી મને પરાણે અટકાવી શકું છું, ” ગમે તે મનુષ્ય પણ જે તે જગતની માયાથી વિરકત થવાની મારી પરવાનગી ચાહશે, તે હું તેની ઈચ્છાનુસાર આનંદિત ચહેરે મારી કબૂલાત આપીશ. કારણ કે જે તેણે ખરેખર જગત, કે જે માત્ર મૂર્ખાઓને જ પિતાની તરફ ખેંચી શકે છે, તેમાંથી પિતાનું અંતઃકરણ ખેંચી લીધું હશે, તે તેથી તેને અટકાવ, એ માત્ર નિંદ્ય અને દોષપાત્રજ છે; પરન્તુ જે માત્ર બાહ્યાડંબરથીજ તે પ્રમાણે દેખાવ કરતે હશે, તે તેને તેનું ફળ મળશે જ.” બાજપક્ષી, કે જે બીજા પ્રાણિના જીવનને નષ્ટ કરી પિતાનું ગુજરાન ચલાવે છે, તે બદલની શિક્ષામાં તેનું અસ્તિત્વ ટૂંકું આપેલ છે (અર્થાત્ તે બહુ થોડું જ જીવે છે ); તે પછી મનુષ્યજાતિના ખેરાકને માટે જુદી જુદી જાતનાં પુષ્કળ સાધને હોવા છતાં, જે મનુષ્ય માંસભક્ષણથી અટકતું નથી, તેનું શું થશે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy