SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરીશ્વર અને શાહ મી. ઇ. બી. હેલનું કહેવું એમ છે કે–“તેને ઘણું સિયો હતી.” તેઓ તે આગળ વધીને એમ પણ લખે છે કે મેગલની દંત કથા પ્રમાણે જે બાદશાહ કેઈ પણ પરણેલી સ્ત્રીના પ્રેમમાં પડે હોય, તે તેણીના ધણીએ છુટા છેડા કરીને તેણીને મુકત કરવી જ પડતી.” આ વાતમાં કેટલી સત્યતા છે, તે કંઈ કહી શકાય નહિં. ગમે તેમ પણ તે સમયની અપેક્ષાએ તે અકબર જેવા સમ્રાની સિયેની સંખ્યા કમજ હતી, એમ કેટલાંક ઉદાહરણ ઉપરથી જોઇ શકાય છે. કહેવાય છે કે-રાજા માનસિંહને ૧૫૦૦ સ્વિયે હતી, અને તે પૈકીની ૬૦ તે તેની સાથેજ સતી થઈ હતી. અકબરના એક બીજા મનસબદારને ૧૨૦૦ સ્ત્રિયે હતી. એટલું જ શા માટે, હુમાયુન અને જહાંગીરને પણ અકબરથી વધારે સિયે હતી, એમ ઘણું ઇતિહાસકારનું કથન છે. અકબરની અિયેના સંબંધમાં એક બીજી વાતને ઉહાપોહ આધુનિક લેખકેમાં વધારે થયેલું જોવાય છે. અને તે એ છે કેઅકબરની સિયામાં કઈ ક્રિશ્ચીયન સ્ત્રી હતી કે કેમ? આ સંબંધમાં સાથી પહેલાં કલકત્તાની સેંટ ઝેવીયર્સ કેલેજના ફાધર એચ. હોસ્ટેન ઈ. સ. ૧૯૧૬ માં “સ્ટેટમેનપત્રમાં એમ કહે વાને બહાર પડ્યા હતા કે- અકબરની એક ક્રિશ્ચીયન ધણીયાણી હતી.” આ પછી બીજા અનેક ઈતિહાસકારોએ આ વિષયમાં ઊહાપિત કર્યો છે, પરંતુ હજુ સુધી એ ચોક્કસ નથી થઈ શકયું કે, અકબરની કઈ સ્ત્રી કિશ્ચીયન હતી? અસ્તુ. બીજા મુસલમાન બાદશાહે કરતાં બલકે કેટલાક હિંદુ રાજા ઓ કરતાં પણ અકબરે વધારે નામના મેળવી હોય, એમ આપણે જોઈએ છીએ. એમ કહેવામાં ખરી રીતે તેના ગુણે અને કાર્ય કરવાની દક્ષતાજ વધારે કારણભૂત છે. પ્રજાની ચાહના મેળવવી, એ કાંઈ ઓછી દક્ષતાનું કાર્ય નથી. અને તે નિર્વિવાદસિદ્ધ વાત છે કે-નામના મેળવવાની, માન પામવાની ઈચ્છા દરેકને હોય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy