SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ રીવાંના રાજા રામદેવના તાબામાં હતું. રાજા રામચંદ્ર તેને શરણ થતાં અકબરે તે રાજાને અલાહાબાદની નજીકની જાગીર આપી હતી. કહેવાની મતલબ કે-જે રાજાએ અકબરની સાથે યુદ્ધ કરતા, હજારે માણસની કતલ કરતા અને લાખ રૂપિયાનું પાણી કરાવતા, તે રાજાઓ પણ અકબરને શરણે થતા, પછી તે ચાહે સંધી કરીને શરણે થતા કે હાર ખાઈને, પરંતુ અકબર તેઓની સાથે લગાર પણ દુશ્મનાવટ રાખતે નહિં, બલકે તેઓનું સમ્માનજ ઘણે ભાગે કરતે. અકબર જેમ પોતાના શત્રુઓનું પણ સન્માન કરતે, તેમ અનીતિથી લડાઈ કરવી પણ પસંદ નહિં કરતે તેનું એકજ દષ્ટાન્ત - જે વખતે અકબર બસે માણસેના લશ્કર સાથે મહી નદી આગળ આવ્યા, ત્યારે તેને ખબર પડી કે છેલ્લાહીમ હુસેન મીરા ઘણું મહેસું લશ્કર લઈને ઠાસરાથી પાંચ માઈલ ઉપર સરનાલની પાસે આવી પહોંચ્યું છે. આથી અકબરના સેનાધિપતિએ એવી સલાહ આપી કે આપણને આપણું બીજું લશ્કર આવી ૧ રાજા રામચંદ્ર, એ વાઘેલા વંશને હતે. અને તે ભ (રીવાં) ને રાજા હતા. બાબરે, ભારતવર્ષના ત્રણ હેટા રાજાઓ ગણાવ્યા છે, જેમાં ને રાજાને ત્રીજા નંબરે ગણાવ્યો છે. સુપ્રસિદ્ધ ગવૈયા તાનસેન આજ રામચંદ્રના આશ્રય હેઠળ પહેલાં રહેતા હતા. આની પાસેથી જ અકબરે પિતાના દરબારમાં બોલાવ્યો હતો. જ્યારે અકબર પાસે તાનસેને પહેલ વહેલાં પોતાની વિદ્યાને પરિચય આપ્યો, ત્યારે અકબરે તેને બે લાખ રૂપિયા ઈનામમાં આપ્યા હતા. વિશેષ માટે જૂઓ-આઈન-ઈ-અકબરી, પહેલા ભાગને અંગ્રેજી અનુવાદ પૃ. ૪૦૬, ૨ મહીમહુસેન મીરજા. આના પિતાનું નામ મહમ્મદ સુલતાન મીરજા હતું. જેનું બીજું નામ શાહ મીરજા હતું. અને તેના છોકરાનું નામ મુઝફરહુસેન મીરજા હતું. વધુ માટે જુએ આઈન-ઈ-અકબરી, પહેલા ભાગને અગરેજી અનુવાદ પૂ. ૪૧-૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy