SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ભણીયા અને સપાહ રાજા બાજબહાદુરને ઇ. સ. ૧૫૯૧ માં હરાવ્યું હતું. આ લડાઇમાં અધમખાન અને પીરમહમુજે ક્રૂરતાપૂર્વક સિ અને બાળકને માર્યા હતાં, તે માટે અકબર તેમના ઉપર બહુજ નારાજ થયે હતે. યુદ્ધ કરવામાં પણ અનીતિને ૨૫ કર, રાજાના ધર્મથી વિમુખ થવા બરાબર અકબર સમજતે હતે. અધમખાનના અત્યાચારને લીધે સમ્રા પોતે માળવામાં આવ્યું, અને અધમખાનને શિક્ષા કરવા તત્પર થયે, પરન્તુ અધમખાનની મા માહમ અંગાની પ્રાર્થનાથી તેને મુકત કરવામાં આવ્યે હતે. છેવટે તેણે આગરે જઈને પણ પાછી ધાંધલ ઉઠાવી હતી. પરંતુ પરિણામમાં તે તેનું મૃત્યુજ થયું હતું. અધમખાન પછી સંભાળતી હતી. માહમનું જનાનખાનામાં ઘણું ચાલતું; બકે અકબર પણ તેનું માન રાખ. અહેરામખાન પછી મુનીમખાન કે જે વકીલ નીમાયે હતું, તેની તે સલાહકારક હતી. અહેરામખાનની પડતી લાવવામાં તેણીએ ઘણે ભાગ ભજવ્યો હતે. અધમખાન પાંચ હજારી હતો. અને તે માનકટના ઘેરામાં બહાદુરી બતાવી જાણીતે થયો હતો. તેની અચાનક ચઢતી થવાથી તે ઘણે સ્વેચ્છાચારી થઈ ગયું હતું. વધુ માટે જૂઓ-આઈન-ઈ-અકબરી પહેલે ભાગ, બ્લેકમેનને અંગ્રેજી અનુવાદ . ૩૨૩-૩૨૪. - ૧ પીરમહમમ્મદખાન, એ શિરવાનને મુલ્લાં હતું. તે કંદહારમાં બહેરામખાનને વળગી રહ્યા હતા, અને તેની લાગવગથીજ તે, અકબર ગાદીએ આવ્યો ત્યારે અમીરની પદવી ઉપર આવ્યો હતે. તેણે હેમૂની સાથેની લડાઈમાં બહાદુરી બતાવી હતી, અને તેથી જ તેને “નાસીર૯મલક” ને ખીતાબ મળ્યો હતો. તે એટલે મગરૂર થઈ ગયો હતે કે-તેણે ચગતાઈ અમીરાની અને છેવટે બહેરામખાનની પણ અવગણના કરી હતી. આના પરિણામે બહેરામખાને તેને રાજીનામું આપવા હુકમ કર્યો હતો અને શેખ ગદાઈના ઉશ્કેરવાથી તેને ખ્યાનાના કિલ્લા તરફ મોકલી આપ્યું, અને ત્યાર પછી તેને જબરાઈથી યાત્રાએ મોકલ્યો હતે. વધુ માટે જૂઓ-આઈન-ઈ-અકબરી પહેલે ભાગ, બ્લેકમેનને અંગ્રેજી અનુવાદ પૂ. ૩૨૫, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy