SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ શરીર અને સણા - * * * * * * === લેનાર રાજા ભગવાનદાસ, રાજા માનસિંહ અને રાજા રોડરમલલ વિગેરે કોણ હતા? ભારતવર્ષનાજ વીર હતા. તેજ ભાગવાનદાસની બહેન અર્થાત્ માનસિંહની ફેઈની સાથે અકબરે લગ્ન કરી તેઓને પિતાના પક્ષમાં લીધા હતા. સલીમ (જહાંગીર) એ આજ હિંદુ-શ્રીથી ઉત્પન થયેલ અકબરને પુત્ર હતા. કહેવાય છે કે–અકબરે ત્રણ હિંદુ રાજકન્યાઓ સાથે લગ્ન કર્યું હતું. જેમાં બીકાનેરની રાજકન્યા પણ હતી. એ તે એકજ વીરકેશરી મહારાણુ પ્રતાપનું નામ જ અમર રહી ગયું છે કે-જે-છેવટની ઘી સુધી પણ અકબરની આ ભેદનીતિના ભેગા થઈ પડે છે, અને હિંદુસૂર્ય તરીકે પોતાનું નામ ઈતિહાસનાં પૃષ્ઠ પર સોનેરી અક્ષરે લખાવી ગયે. બસ, હિંદુવામાં ભેદ પડાવતાની સાથે જ તેઓની સહાયતાથી અકબર જુદા જુદા દેશો ઉપર ચડવા લાગ્યું અને એક પછી એક સર પણ કરવા લાગ્યો. અકબર પોતે લડાઈની અંદર ઉતરતે, અને એક જબરદસ્ત ચુદ્ધા તરીકે ભાગ ભજવતે. પરિણામે પિતાની બહાદુરી, નિશ્ચલતા અને ચાલાકીના લીધે પિતાના કાર્યમાં તેણે આશાતીત ફત્તેહ મેળવી હતી, અકબરને દેશે છતવામાં તેની લશ્કરી વ્યવસ્થા પણ વધારે સહાયક થઈ પડતી હતી. તે રાજપૂત રાજાઓને લશ્કરી ખાતામાં રહેટી હેટી પદવીઓ આપી ખૂબ ખુશી રાખતા. પાંચ હજાર ઉપર ફ્રજ રાખનાર અમલદારને “અમીર' નું પદ આપતે અને પાંચ હજારથી ઓછી ફેજના અધિપતિને “મનસબદાર બનાવતે. આ સિવાય નીચલા દરજજાના પણ ઘણા અમલદારે હતા. અકબરે લશ્કરની એગ્ય વ્યવસ્થાપૂર્વક એક પછી એક દેશે હાથ કરવાનો અવિશ્રાન્ત શ્રમ લીધા હતા. કહેવાય છે કે બાર વર્ષ સુધી તેણે સતત પરિશ્રમ પૂર્વક લડાઈ કરી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy