SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ સટ્ટાનું શષ જીવન. બાળકોને-જ જન્મતાંની સાથેજ એટલે સાંસારિક મનુષ્યની હવામાં આવવા પહેલાં જ એવા એકાન્ત સ્થાનમાં ઉછેરવાને પ્રબંધ કર્યો હતું કે જ્યાં મનખ્ય વ્યવહારની ગંધ પણ તેઓને ન લાગી શકે. અકબરે ધાર્યું હતું કે-આ બાળકે મોટાં થઈને કુદરતી રીતે કયા ધર્મ તરફ વળે છે, તે જોઈએ. પરંતુ તેમાં તેણે સફળતા મેળવી નહતી. પરિણામે તેમાંથી કેટલાંક બાળકે તે બેદરકારીને લીધે મરી જ ગયાં, અને બીજા ૩-૪ વર્ષ પછીથી મૂગાંજ રહ્યાં હતાં ? કુદરતના કાયદાથી વિરૂદ્ધ કાર્ય કરવામાં પરિણામ સારું નથીજ આવતું, એ વાત અકબર દઢપણે જાણતા હત, તે આ પ્રાગ તે કદાપિ કરતે નહીં. અકબરમાં એક ખાસ જાણવા જેવી ચાલાકી હતી. અને તે એ કે કઈ પણ કાર્ય સિદ્ધ કરવામાં સાથી પહેલાં તે તે અનુકૂળતાને જ ઉપયોગ કરતે. તેનું માનવું હતું કે-મીઠી દવાથી રાગ જતો હોય, તે કડવી દવા આપવાની જરૂર નથી. અને એજ નીતિનું અવલંબન કરીને તેણે ઘણુંખરાં રાજ્ય અને ઘણાખરા વરને તે પિતાને સ્વાધીન કરી લીધા હતા. અકબરની એક તરફ એ ઇચ્છા હતી કે–તેના બાપના હાથમાંથી ગયેલા અને કબજામાં નહિ આવેલા બધા દેશને પિતાને કબજે કરવા, જ્યારે બીજી તરફ તે ધ્યાન આપતું, ત્યારે તેને જણાતું કે-ભારતવર્ષ વીરાની ખાણ છે. ભારતવર્ષના વીર આગળ ભલા ભલાઓની દાળ નથી ગળવા પામી, તે હારી કેમ ગળશે? આવી ચેકસ ખાતરી થતાં જ તેણે ભેદનીતિનું અવલંબન કરી ભારતવર્ષના વીરામાં માટે ભેદ પડાવી ઘણાખરાઓને પોતાના પક્ષમાં લઈ લીધા હતા. અકબરને દેશે જીતવામાં અને બીજી દરેક રીતે મદદ કરવામાં પ્રધાનતયા ભાગ - ૧ જૂઓ-બધી હિસ્ટરી ઓફ આર્યન રૂલ ઇન ઇડિયા કર્તા ઇ. બી. હેવેલ ૫૦ ૪૯૪ ( The History of Aryan rule in India. By E. B. Havell. P. 494). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy