SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર્યુકત કથાઓમાં કેટલી સત્યતા છે, એને નિર્ણય અત્યાર થી અસંભવ છે. ગમે તેમ હશે, પરંતુ તેની માનતાઓ થતી હતી, ઘણા લેકે તેને ઈશ્વરના અવતાર તરીકે માનવા લાગ્યા હતા, એમાં તે બે મત છેજ નહિ. શ્રીયુત બંકિમચંદ્રલાહિડી પિતાના “સર્વ ર' નામના બંગાળી પુસ્તકના પૃ. ૨૮૨ માં લખે છે – ___“ से समयेर हिन्दू ओ मुसलमान सम्राट्के ऋषिवत् ज्ञान करित, तांहार आशीर्वादे कठिन पीडा आरोग्य हय, पुत्र-कन्या लाभ हय, अभीष्ट सिद्ध हय, एइ रूप सकले विश्वास करित। पइजन्य प्रत्यह दले दले लोक ताँहार निकट उपस्थित हइया आशीर्वाद प्रार्थना करित ।" અથ-તે સમયના હિન્દુઓ અને મુસલમાને સમાને વિષિવ સમજતા હતા. તેના આશીર્વાદથી કઠિન પીડા દૂર થાય છે, પુત્ર-પુત્રીને લાભ થાય છે, ઈષ્ટ-સિદ્ધિ થાય છે, એ લેકને વિશ્વાસ હતે. એટલા માટે ટેળેટેળાં હમેશાં તેની પાસે આવીને આશીર્વાદની પ્રાર્થના કરતાં. આટલું હોવા છતાં એક વાત આશ્ચર્ય ઉત્પન્ન કરાવે તેવી છે. અને તે એ કે-એક તરફથી એમ કહેવામાં આવે છે કે અકબરનું ઉપર પ્રમાણે માહાસ્ય ફેલાયું હતું, જ્યારે બીજી તરફથી જોતાં અકબરનું તે માહાત્મ્ય અને અકબરને તે ધર્મ–અને અકબરની સાથે જ અવસાનાવસ્થાને પ્રાપ્ત થયાનું માલુમ પડે છે. આમ કેમ હોઈ શકે? આના સંબંધમાં વિદ્વાને અનેક તર્કો કરે છે. કેઈ કહે છે કે અકબરની મહિમા વધારનારા અને અકબરના ધર્મને ખાસ અનુમોદનારા અબુલફજલ અને ડ્રેજી જેવા અકબરની પહેલાં જ વિદાય થયા હતા. એટલે પાછળથી કે તેનું ધર્મ-શકટ ચલાવનાર ઘેરી રો હેતે. જ્યારે કેટલાકે એમ પણ કહે છે કે-અકબરને ‘શીન-ઇલાહી ધર્મ કેઈએ ખરા દિલથી સ્વીકાર્યોજ હેતે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy