SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરી અને ક્ષમા સમર્થ થઈ શકતું નથી. માટે તમે લગાર પણ ઉદ્વેગ કરશે નહિ. વિ જયસેનસૂરિ અહિં હત, તે હું તમારા બધા માટે એગ્ય ભલામણ કરત. કલ્યાણવિજય ઉપાધ્યાય પણ છેવટે મળ્યા નહિ. ખેર, હવે હું તમને જે કંઈ કહેવા માગું છું તે એ છે કે–તમે કઈ પણ જાતની ચિંતા કરશે નહિ. તમારી બધીએ આશાએ વિજયસેનસૂરિ પૂર્ણ કરશે. તેઓ શૂરવીર, સત્યવાદી અને શાસનના પૂર્ણ પ્રેમી છે. હું તમને ભલામણ કરું છું કે–જેવી રીતે તમે બધા મને માને છે, તેવી જ રીતે તેમને પણ માનજો અને તેમની સેવા કરજે, તેઓ પણ તમારું પુત્રની માફક પાલન કરશે. તમે બધા સંપીને રહેશે અને જેમ શાસનની શોભા વધે તેમ વર્તાવ કરજે. ખાસ કરીને વિમલહર્ષ ઉપાધ્યાય અને સામવિજયજીને જણાવું છું કેતમે છેવટ સુધી મને બહુ સતેજ આપે છે. તમારા કાર્યોથી મને બહુ પ્રસન્નતા થયેલી છે. હું તમને પણ અનુરોધ કરું છું કેતમે શાસનની શોભા વધારશે, અને આ સમુદાય જેમ સંપીને રહે છે, તેવી રીતે કાયમને માટે રહે, તે પ્રયત્ન કરજે.” ! - સાધુઓને ઉપર પ્રમાણે શિખામણે આપી સરિજી પિતાના જીવનમાં લાગેલાં પાપની આચના અને સમસ્ત છ પ્રત્યે ક્ષમાપના કરવા લાગ્યા. જે વખતે તેઓ સાધુઓ પ્રત્યે ક્ષમાવવા લાગ્યા, ત્યારે સાધુઓનાં હૃદયે ભરાઈ આવ્યાં. તેમની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યાં. કંઠ રૂંધાઈ ગયે. આવી સ્થિતિમાં સેમવિવિજયજીએ સૂરિજીને કહ્યું –“ગુરૂદેવ! આપ આ બાળકોને શાના અમાવે છે? આપે તે અમને પ્યારા પુત્રની માફક પાળ્યા છે, પુત્રોથી પણ અધિક ગણીને અમારી સારી સંભાળ રાખી છે. તેમ અજ્ઞાનરૂપી અંધકારમાંથી હાથ પકડીને અમને પ્રકાશમાં લાવી મૂક્યા છે. આટલે બધે અનહદ ઉપકાર કરનાર આપ-પૂજ્ય અમને ખમા, અમને તે બહુ લાગી આવે છે. અમે આપના અ જ્ઞાની-અવિવેકી બાળકે છીએ. ડગલે ને પગલે અમારાથી આપને, વિનય થયે હશે, વખતે વખત અમાસ નિમિત્તે આપનું હાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy