SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ સવાર અને સારા - - - - - સિદ્ધાચલજી જેવા પવિત્ર તીર્થ ઉપર રાત્રે રહેવાને નિષેધ છે, પરતુ હીરવિજયસૂરિ વૃદ્ધાવસ્થાવાળા હતા અને મહાન તપસ્વી હતા. અતએવ અવાર નવાર તેઓ ચઢી ઉતરી શકે તેમ નહિ હોવાથી અપવાદરૂપે તેઓને ઉપર રહેવાની ફરજ પડી હતી. હીરસૌભાગ્યની ટીકામાં પણ આજ ખુલાસે કરે છે.' આવીજ રીતે નહષભદાસ કવિએ પણ હીરવિજયસૂરિરાસમાં આ વખતની યાત્રાનું વર્ણન આપ્યું છે, તે પણ ખાસ જાણવા જેવું કહેવાથી અહિં આપવામાં આવે છે. તેઓ કહે છે – “તળેટીએ ત્રણ સ્તૂપ છે, તેમાં એકમાં આદીશ્વરનાં પગલાં છે, બીજામાં ધનવિજયજીનાં અને ત્રીજામાં નાકરનાં છે. તે ત્રણે સ્થળે સ્તુતિ કરી ત્યાંથી ધોળીપરબે આવી થી સ્થિરતા કરી. ત્યાંથી ઉપર સાકરપરબે આવ્યા. અહિં સાકરનાં પાણી આપવામાં આવતાં હતાં. ત્યાંથી ત્રીજી બેઠકે આવ્યા. જ્યાં કુમારકંડ છે. જેથી બેઠકને હીંગળાજને હડે કહેવામાં આવે છે. ત્યાંથી પાંચમી બેઠકે ચઢતાં સરિજીને થાક લાગવાથી સેમવિજયજીએ સૂરિજીને હાથ પકડયે. અહિં શલાકુંડે કેએ પાણી પીને શાન્તિ લીધી. અહિં રાષભદેવનાં પગલાં પણ છે. સંઘ સાથે સૂરિજીએ તેનાં દર્શન કર્યો, અને પછી આગળ વધ્યા. છઠ્ઠી બેઠકે બે પાળીયા જોવામાં આવ્યા. ત્યાંથી સાતમી બેઠકે ગયા એટલે બે રસ્તા આવ્યા. બારીમાં પેસીને જતાં મુખજીનું મંદિર આવે છે, અને બીજા માર્ગે જતાં સિંહદ્વાર આવે છે. સૂરિજી સંઘ સાથે સિંહદ્વારના માર્ગે પધાર્યા. સૌથી મોટા મંદિરે આવતાં પહેલવહેલાં ગsષભદેવ ભગવાનના દર્શન કર્યા અને પછી ત્રણ પ્રદક્ષિણ ફર્યા. આ મેટા દેરાસરની પ્રદક્ષિણાઓ ફરતાં એકસ સૈાદ હાની દેરીએમાં એકસો વીસ જિનપ્રતિમાનાં દર્શન કર્યા. એકસે આઠ મેટી દેરીઓ અને દશ દેરાસરોમાં એકંદર ૨૪૫ જિનબિંબનાં ૧ જૂઓ ૧૬, સર્ગ બ્લેક ૧૪૧ ૫, ૮૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy