SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ આગરા, સુલતાન, કાશ્મીર અને બંગાળામાં પણ મહેટાં મોટાં શહેરમાં કાસરિયાઓ સાથે નિમંત્રણે મેકલ્યાં. શુભ મુહૂર્તમાં પાટણને સંઘ સૂરિજીઆદિ મુનિમંડલ સાથે રવાના થયે. ગાડિયે, ઘોડા, ઊંટ અને માફા વિગેરે મહેટી ધૂમધામ પૂર્વક હજાર માણસની સંખ્યામાં સંઘ આગળ વધવા લાગ્યું. ધીરે ધીરે ચાલતાં ચાલતાં આ સંઘ અમદાવાદ પહોંચ્યું. આ વખતે અમદાવાદમાં સૂબા તરીકે અકબરને પુત્ર સુલતાન મુરાદ હતું. તેણે સંઘની અને સૂરિજીની બહુ જ ભક્તિ કરી તથા સૂરિજીના ઉપદેશથી પ્રસન્ન થઈ પિતાના બે મેવાડા સૂરિજીની સેવામાં મોકલ્યા. અનુક્રમે પ્રયાણ કરતાં કરતાં સંઘ ધોળકે આવ્યું. આ વખતે ખંભાતના સંઘવી ઉદયકરણે વિનતિ કરીને ધોળકામાં ૩ વખત સ્થિરતા કરાવી, તે દરમીયાન ખંભાતથી બાઈ સાંગદે અને સોની તેજપાલ પિતાની સાથે છત્રીસ સેજવાલાં લઈને ળકે આવી પહેચ્યાં અને તેઓ પણ આ સંઘની સાથેજ સિદ્ધાચલની યાત્રાએ ચાલ્યાં, - જ્યારે આ મહેટે સંઘ પાલીતાણુની નજીકમાં લગભગ આવવા થયે, ત્યારે મેરઠના અધિપતિ નવરંગખાનને ખબર પડી કે સુપ્રસિદ્ધ જૈનાચાર્ય હીરવિજયસૂરિ એક મોટા સંઘની સાથે સિદ્ધાચલની યાત્રા કરવાને પધારે છે, ત્યારે તે એકદમ તે સંઘની હામે આ. સોરઠના સૂબાની સાથે ઉપલક કેટલીક વાતચીત થયા પછી બાદશાહ અકબરે આપેલાં કેટલાંક ફરમાને તેને બતાવામાં આવ્યાં. સૂએ બહુજ ખુશી થયા. તેણે સૂરિજીને ઘણું જ માન આપ્યું. ઘણું આડંબર સાથે પાલીતાણામાં પ્રવેશ કરાવ્યું. એક તરફ અનેક પ્રકારનાં વાજીથી ગાજી રહેલ ગગનમંડળમાં ભાટેના મુખથી નિકળતી બિરૂદાવલિયાની ધવનિ કેઇ એરજ સુર પૂરતી હતી. બીજી તરફ ભજનમંડલી તરફથી લેવાતા દાંડિયારાસ અને છેવટના ભાગમાં, સિદ્ધાચલજીને ભેટવા માટે પ્રેત્સાહિત કરનારા સુંદરિયેનાં મધુર ગીતે લેકેનાં ચિત્તાને ગદગદ કરી નાખતાં હતાં. લાખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy