SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરીજા અને શા. હાથે પ્રતિષ્ઠા કરાવી તે નિમિત્તે મહટા મહેટા ઉટ્સ કર્યા હતા. શાહ હશએ નવાનગરમાં, કુંવરજી બાહુઆએ કેવીમાં, શાહ લહુએ ગંધારમાં અને શાહ હીરાએ ચીઉલમાં જિનમંદિરે કરાવ્યાં હતાં, તે સિવાય લાહોર, આગરા,મથુરા, માલપુર, ફતેપુર, ૧. આ કંવરજીએ કાવી, કે જે ખંભાતની પાસે આવેલ છે, ત્યાં બે મોટાં મંદિર બનાવેલાં છે. બન્ને મંદિરે હાલ વિદ્યમાન છે. એક ધર્મનાથનું મંદિર કહેવાય છે અને બીજું આદીશ્વરનું. ધર્મનાથના મંદિરના રંગમંડપની બહાર દરવાજાની ભીંતમાં એક લેખ છે, તેમાં અને રજીને ટ્રકે પરિચય છે. આ લેખને સંવત આ છેઃ-૧૬૫૪ ના શ્રાવણ વદિ ૯ શનિવાર. આ મંદિરનું નામ “રત્નતિલકી આપ્યાનું જણાવ્યું છે. આ સિવાય આજ મંદિરના મૂલનાયકના પરિકરની જમણી બાજુના કાઉસગિયા ઉપર એક લેખ છે. તેમાં સં. ૧૬૫૬ ના વૈશાખ સુ. ૭ ના દિવસે અરજીએ વિજયસેનસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવ્યાનું લખ્યું છે. આદીશ્વરના મંદિરમાં મૂલ ગભારાના દરવાજામાં પેસતાં જમણુ હાથ તરફ ગોખલામાં ૩૨ મલેકેની એક પ્રશસ્તિયુક્ત લેખ છે. તેમાંથી અરજી સંબંધી આ હકીકત નિકળે છે – ગુજરાતમાં આવેલ વડનગર ગામમાં લઘુનાગરજ્ઞાતીય અને શિયાણા ગોત્રને ગાંધી દેપાલ રહેતો હતો. તેને પુત્ર અબુઆ, અને તેને પુત્ર લાલિકા નામને થયે. તેને બે પુત્રો થયા--મક અને ગંગાધર, બાહુકને બે સ્ત્રી હતી-૧ પોપટી અને ૨ હીરાદેવી. તે બનેને ત્રણ પુત્રો થયા. પોપટીને કુંઅરજી અને હીરાદેવીના દમદાસ અને વીરદાસ. લક્ષ્મીને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી ગાંધી આઓ ખંભાતમાં આવી વસ્યો હતો. ખંભાતમાં તેણે દરેક પ્રકારે ઉન્નતિ કરી હતી. આ વખતે કાવીતીર્થમાં એક મંદિર હતું, તે ઘણુંજ જીર્ણ થઇ ગયું હતું. એને જોઈને કુંવરજીની ઇચ્છા તેનો જીર્ણોદ્ધાર કરવાની થઈ; પરન્તુ તેણે પ્રશસ્તિમાં કહેવા પ્રમાણે તતઃ કાવતા તેને મૂfમશુણિપુરા રજા મુકાતરિન પાવર સરિતો નવઃા તે શ્રદ્ધાળુ શ્રાવકે પિતાની ભુજાથી ઉત્પન્ન કરેલ દ્રવ્યથી, જમીન શુદ્ધિથી લઈને આખું મંદિર નવું જ કર્યું. અને સ. ૧૬૪૮ ના માર્ગશીર્ષ સુ. ૧૩ સોમવારના દિવસે શ્રી આદીશ્વર ભગવાનનું સ્થાપન કરી વિજયસેનસૂરિ પાસે તેની પ્રતિષ્ઠા કરાવી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy