SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ સૂરીશ્વર અને સા. તેમનાજ શિષ્ય અમરચંદ કવિએ સંવત્ ૧૬૭૮ ના વૈશાખ સુ ૩ ને રવિવારે બનાવેલા કુલ વજરાસની પ્રશસ્તિમાં લખી છે. આમણે અજિતશાન્તિસ્તવમાં આવેલા દેને અનુસરીને ગષભદેવ અને વીરપ્રભુની સંસ્કૃત ભાષામાં સ્તુતિ બનાવી છે. તેમ જશદ્વીપપન્નતિની ટીકા વિ. સં. ૧૯૫૧ માં બનાવી છે. આ સિવાય તેઓની પ્રભાવકતા કેવી હતી, એ વાત તેમણે અકબર બાદશાહ પાસે કરાવેલાં કાર્યોથી સુવિદિતજ છે. ૩ ભાનુદ્રજી ઉપાધ્યાય, તેઓ પણ તે વખતના પ્રભાવિક પુરૂષે પૈકીના એક હતા. તેઓ મૂલ સિદ્ધપુરના રહીશ હતા. તેમના પિતાનું નામ રામજી હતું અને માતાનું નામ રમાશે. તેમનું પોતાનું નામ ભાણુછ હતું. સાત વર્ષની ઉમરે તેમને નિશાળમાં બેસાડવામાં આવ્યા હતા અને દસ વર્ષની ઉમ્મરે તે હુંશીયાર થયા હતા. તેમના વડીલ ભાઈનું નામ રંગજી હતું સૂરચંદ્ર પંન્યાસને સમાગમ થતાં તે બંને ભાઈઓએ દીક્ષા લીધી હતી. ઘણા ગ્રંને અભ્યાસ કર્યા પછી તેમને પંડિતપદ મળ્યું હતું. હીરવિજયસૂરિએ તેમના એગ્ય જાણીને અકબર બાદશાહ પાસે રાખ્યા હતા. અકબરને પણ તેમને ઉપદેશથી બહુ પ્રસન્નતા થઈ હતી. અને તે પ્રસન્નતાના કારણે તેમના ઉપદેશથી બાદશાહે ઘણાં સારાં સારાં કામે કયાં હતાં, જે કામનું વર્ણન છઠ્ઠા પ્રકરણમાં આપવામાં આવેલું છે. તે અકબરને દેહાન્ત થયા પછી ભાનચંદ્રજી પુનઃ આગરે ગયા હતા અને અકબર બાદશાહે પહેલાં જે જે ફર્મોને કરી આપ્યાં હતાં તે બધાં કાયમ રાખવાને માટે જહાંગીરને પુનઃ હુકમ મેળવ્યું હિતે. અકબરની માફક જહાંગીરની પણ ભાનુચંદ્રજી ઉપર બહુશ્રદ્ધા ૧ જૂઓ, પૃ. ૧૪૩ થી ૧૪૫. ૨ આ સુરચંદ પન્યાસ તેજ છે કે-જેમણે ધર્મ સાગરજી ઉપાધ્યાયે બનાવેલ “ ઉસત્રકકદાલ ' નામના ગ્રંથ આચાર્ય શ્રી વિજયદાન સૂરિની આજ્ઞાથી પાણુમાં બાળી દીધો હતો. ( જૂઓ ઐતિહાસિક રાસ સ, ભા. ૪ થે. ૫. ૧૩.) ૩ જુએ , ૧૪૫ થી ૧૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy