SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાદાન, વરસિંઘ એક ધર્મિષ્ઠ મનુષ્ય હતું તે હમેશાં ઉપાશ્રયે જતો અને ધાર્મિક ક્રિયાઓ કરતે. લગ્નને દિવસ નજીક આવેલ હેવા છતાં અને પિતાને ઘરે એટલી બધી ધમધામ હેવા છતાં તે પિતાની ધર્મક્રિયાઓને છેડતે નહિં. એક દિવસ વરસિંધ ઉપાશ્રયમાં આવીને માથે કપડું ઓઢી સામાયિક કરી રહ્યો હતો. આ વખતે તે એવી રીતે બેઠો હતો કે કઈ તેને ઓળખી શકે નહિ, કારણ કે તેનું મેટું કપડાથી ઢંકાયેલું હતું. ઉપાશ્રયમાં સાધુઓને વંદન કરવાને અનેક સ્ત્રી-પુરૂષનાં ટેળાં આવતાં હતાં, આમાંના એક ટેળામાં વરસિંઘની સ્ત્રી પણ વંદન કરવાને આવેલી. જે ટેળામાં વરસિંઘની સ્ત્રી હતી, તે સિચેના ટેળાએ સાધુઓને વંદન ક૨વાની સાથે વરસિંઘને પણ વંદન કર્યું. એમ ધારીને કે-આ કેઈ સાધુ બેઠેલા છે. તે સિયે વંદન કરીને ચાલી ગઈ, એટલે વરસિંઘની પાસે બેઠેલ એક ગૃહસ્થ હર્યો અને તેણે વરસિંઘને કહ્યું કે- વરસિંઘ ! હવે તો તારાથી પરણશે નહિ અને પરણવું જોઈએ પણ નહિ; કારણ કે તારી સ્ત્રી તને સાધુ સમજીને હમણુંજ વંદન કરી ગઈ. તારી સ્ત્રી તને વાંદીને એ સૂચના કરી ગઈ છે કે-“હવે તમે ચેતી જશે.” વરસિંઘે કહ્યું– ભાઈતારા કથનને હું માન્ય રાખું છું. અને હું તેજ પ્રયત્ન કરીશ કે જેથી તે ( ) અને બીd બધાં સાચી રીતે જ મને વંદન કરે.” ઘરે આવીને તેણે જણાવ્યું કે મારે પરણવું નથી. તેનું આખું કુટુંબ એકઠું થયું. દરેક સમજાવવા લાગ્યા, પરંતુ તેણે કેઈનું માન્યું નહિં, છેવટે તેણે એજ કહ્યું કે મને તમે દીક્ષા નહિં લેવા ઘો, તે આત્મઘાત સિવાય મારે માટે બીજો એકે રસ્તે નથી.” બસ, વરસિંઘ જ્યાં ખાવું પીવું છેડીને બેસી ગયે કે-ઝટ માતા પિતાએ દીક્ષા લેવાને માટે આજ્ઞા આપી દીધી, અને વિવાહના નિમિત્તે જે ઉત્સવ શરૂ થયેલું હતું, જે પકવાને બની રહ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy