SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરીશ્વર અને ગ્રાહક મંમાં શુરવીર હોય છે, તેઓ જ ધર્મમાં પણ વીરતા બતાવી શકે છે, માટે શાસનની ઉન્નતિની આશાને વધારે સફળ કરવી હોય તે તેવી ગ્યતા ધરાવવાળા સાધુઓ થવાની જરૂર છે. આને માટે ખાસ કરીને આપણા સાધુ વર્ષે પણ વિચાર કરવાની જરૂર છે. છે. બાદશાહ અકબરની પાસે જૈતાશાહ નામને એક નાગરી ગૃહસ્થ રહેતું હતું, તે બાદશાહને ઘણે માનીતું હતું. હીરવિજયસૂરિ બાદશાહ પાસેથી જ્યારે વિદાય થવા લાગ્યા, ત્યારે ઉપર્યુકત જેતા નાગોરીએ સૂરિજીને પ્રાર્થના કરી કે-જે આપ બે ત્રણ મહીનાની સ્થિરતા કરે, તે હું આપની પાસે દીક્ષા લઉં.” સૂરિજીને માટે આ વિષય વિચારણીય થઈ પડયે. જેતાશાહ જેવા બાદશાહના માનીતા અને પ્રતિષ્ઠિત પુરૂષને દીક્ષા આપવાને લાલ કંઈ કમ હેતે, જ્યારે બીજી તરફ ગુજરાત તરફ પ્રયાણ કરવાની આવશ્યકતા પણ કંઈ ઓછી નહેતી. હવે કેમ કરવું ? એ સબંધી લાભાલાભના વિચારમાં હતા, તેવામાં થાનસિંઘે જૈતાશાહને કહ્યું કે જ્યાં સુધી બાદશાહની આજ્ઞા ન મળે ત્યાં સુધી તમારાથી દીક્ષા લઈ શકાશે નહી. જૈતાશાહને એવી સૂચના કરીને થાનસિંઘ અને માનુકલ્યાણબને બાદશાહ પાસે ગયા, અને બાદશાહને એ હકીકત જણાવી કે- “જતા નાગરી હીરવિજયસૂરિ પાસે દીક્ષા લેવાને ચાહે છે, પરંતુ તેમાં આપની આજ્ઞાની અપેક્ષા છે.” બાદશાહે જતા નાગોરીને પોતાની પાસે બોલાવીને પૂછયું કેતું સાધુ શા માટે થાય છે? તને જે કંઈ દુખ હોય તે હું તે દુખ દૂર કરવાને તૈયાર છું. ગામ-ગરાસ-ધન જે જોઈએ તે ખુશીથી માગી લે.” જતાશાહે કહ્યું-“હું મારી રાજીખુશીથી સાધુ થવા ચાહું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy