SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરીશ્વર અને સમ્રા. એ પ્રમાણે પિતાની છતી દ્વિ-સમૃદ્ધિને છોડીને મોટા આડંબર સાથે અભયરાજે પિતાના પુત્ર, પુત્રી, સ્ત્રી, ભાઈની સ્ત્રી અને ચાર નેકરે સાથે ખંભાતની પાસે આવેલ કસારીપુરમાં - - ૧ કંસારીપુર, એ ખંભાત શહેરથી લગભગ એક માઇલ ઉપર આવેલ પરે છે. જો કે અત્યારે ત્યાં જૈનની વસ્તી કે દેરાસર વિગેરે કંઈજ નથી, પરંતુ પહેલાં ત્યાં દેરાસર અને શ્રાવકાની વસ્તી સારી હતી, એમ કેટલાંક પ્રમાણે ઉપરથી માલૂમ પડે છે. સત્તરમી શતાબ્દિના સુપ્રસિદ્ધ કવિ ડષભદાસે ખંભાતની ચિયપરિપાટી બનાવી છે, (આ ચિત્ય પરિપાટીની એક પ્રતિ આચાર્ય મહારાજશ્રીના સંગ્રહમાં છે કે જે પ્રતિ કર્તાના હાથનીજ લખેલી છે, તેમાં કંસારીપુરનું વર્ણન કરતાં લખ્યું છે – ભીડભંજણ જિન પૂજવા કંસારીપુરમાંહિં જઈઈ, બાવીસ ખંબ તહાં નમી ભવિક જીવ નીમલહઈ થઈઈ; બીજઇ દેહરઈ જઈ નમું સ્વામી ઋષભજિણંદ, સતાવીસ ખૂબ પ્રણમતા સુપરષમનિ આણંદ ૫ ૪૬ ! આ ઉપરથી જણાય છે કે તે વખતે કંસારીપુરમાં બે દેરાસરે હતાંએક ભીડભંજન પાર્શ્વનાથનું અને બીજુ ડષભદેવનું, ભીડભંજન પાર્શ્વનાથના દેરાસરમાં બાવીસ જિનબિંબે હતાં, જ્યારે કષભદેવના દેરાસરમાં સત્તાવીસ હતાં. સં. ૧૯૩૯ ની સાલમાં સુધર્મગચ્છના આચાર્ય વિનયદેવસૂરિ ખંભાત આવ્યા, ત્યારે કંસારીપુરમાં આવીને ત્રણ દિવસ રહ્યા હતા. તે વખતે તેમણે પાર્શ્વનાથના દર્શન કર્યાનું મનજીઋષિએ વિનયદેવસૂરિરાસમાં લખ્યું છે. તે લખે છે– ગપતિ પાંગર્યા પરિવારઈ બહૂ પરવર્યા, ગુણભર્યા કંસારીઈ આવીયા એ; પાસજિર્ણોદ એ અશ્વસેનકુલિ ચંદ એ, વંદ એ ભાવ ધરીનઈ વંદીયા એક વંધા પાસજિર્ણોસર ભાવઈ ત્રિણ દિવસ ભી કરી, હવઈ નયરિ આવઈ મોતી બધાવઈ શુભ દિવસ મનસ્યઉ ધરી. - (ઐતિહાસિકરાસ સં. ભા. ૩ જે, પૃ. ૩૧) આવી જ રીતે વિવિપક્ષીય રાજસાગરસૂરિના પ્રશિષ્પ અને લલિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy