SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરીશ્વર અને સમા, કરવાને જતી હતી. અભ્યાસ કરતાં કરતાં તેણુના અંતઃકરણમાં વૈરાગ્ય નિવાસ કર્યો. પરિણામે તેણીની ઈચ્છા દીક્ષા લેવાની થઈ. જ્યારે પિતાને આ વિચાર ગંગાએ પોતાની માતાને જણાવ્યું, ત્યારે તેને ઘણું દુઃખ થયું.પિતાએ પણ ચારિત્ર લેવા કરતાં પાળવામાં કેટલા પૈર્યની અને સહનશીલતાની જરૂર છે, એ હકીકત સમજાવી. પરંતુ ગંગા પિતાના વિચારમાં ખૂબ દઢ રહી. પુત્રીને દઢ વિચાર જાણી માતાએ પણ એજ કહ્યું કેતું દીક્ષા લઈશ, તે હું પણ તારી સાથેજ સાધ્વી થઈશ,” અભય રાજ વિચાર કરે છે કે “જ્યારે સ્ત્રી અને પુત્રી અને દીક્ષા લેવાને તૈયાર થયાં છે, તો પછી મારે સંસારમાં રહીને શું કરવું છે? હું પણ સાધુ કાં ન થઈ જાઉં?” પરતુ અભયરાજને એક વાત મનમાં અવશ્ય ખટકતી હતી, અને તે એ કે “અભયરાજને મેઘકુમાર નામને એક હાને પુત્ર હતું, તેની શી વ્યવસ્થા કરવી?” એક વખત અભયરાજે મેઘકુમારને કહ્યું “વત્સ ! હું, તારી માતા અને બેન ગંગા-ત્રણે જણ દીક્ષા લેવાને ઈરાદે રાખીએ છીએ, માટે તું સુખ પૂર્વક સંસારમાં રહી આનંદ કર.” મેઘકુમારે કહ્યું-“પિઆવ્યું. થોડા જ વખતમાં તેમણે આગમો વિગેરને સારે અભ્યાસ કરી લીધે. તદનન્તર તેમની ચગ્યતા જાણીને આચાર્ય શ્રીવિજયદાનસરિએ તેમને ગંધારમાં પંડિત પદ આપ્યું. ( વિ. સં. ૧૬૧૪). તેમ છે મારવાડ, મેવાડ, સોરઠ વિગેરે દેશોમાં અમ્મલિત વિહાર કર્યો હતો. અને ઘણાઓને દીક્ષા આપી હતી. તેઓની ત્યાગવૃત્તિ ઘણજ પ્રશંસનીય હતી. મહીનામાં છ ઉપવાસ તો તેઓ કાયમ કરતા અને દરરોજ વધારેમાં વધારે સાતદ્રવ્ય (સાત વસ્તુઓજ ) વાપરતા. વિ. સં. ૧૬૬૧ ની સાલમાં આચાર્ય વિજયસેનસૂરિની આજ્ઞાથી તેમણે મહેસાણામાં ચાતુર્માસ કર્યું. ત્યાં અશાડ સુદિ ૧૨ ના દિવસે તેમના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થયો. જો કે સાત દિવસની લાગણે બાદ થોડા વખતને માટે રોગની શાન્તિ થઈ હતી, પરંતુ છેવટે તેજ મહીનાની એટલે અશાહ વાદ ૧૨ ના દિવસે ૭૨ વર્ષની વયે તેઓ સ્વર્ગવાસી થયા ( વધારે હકીકત માટે જ મતિહાસિકાસ સંગ્રહ ભા, ૩ જો . ૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy