SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ સૂબાઓ પર પ્રભાવ ખુલ્લાહે સૂરિજીને પૂછ્યું-“મહારાજ! આપે મહે ઉપર કપડું કેમ બાંધ્યું છે?” ' સૂરિજીએ કહ્યું- “અત્યારે આ પુસ્તક મારા હાથમાં છે માટે બેલતાં બોલતાં તેના ઉપર થુંક ન પડે, એટલાની ખાતર આ કપડું બાંધવામાં આવ્યું છે.” હબીબુલ્લાહે પુનઃ પૂછયું-“મહારાજ ! શું શૂક નાપાક છે?” સૂરિજીએ કહ્યું-“હા, જ્યાં સુધી થુંક મોંમાં રહે છે, ત્યાં સુધી પાક છે અને મોંથી બહાર નીકળતાં તે નાપાક ગણાય છે.” સૂરિજીના આ ઉત્તરથી તે ખુશી થશે. તે પછી તેણે પ્રાર્થના કરી કે “આપ મારા લાયક કઈ કાર્યું હોય, તે ફરમાવે.' સૂરિજીએ કેટલાક બંદિવાનેને છોડી મૂકવાની સૂચના કરી. હબીબુલ્લાહે તે સૂચનાને માન આપ્યું અને સૂરિજીના કહેવા પ્રમાણે બંદિવાનેને મુકત કર્યો. તેમ આખા ગામમાં અમારી પડહ (કેઈ જીવ ન મારે એ ઢરે) વગડા, ઉપર લખાયેલા હતા, ત્યારે તે ગ્રંથોનાં પાનાં બન્ને હાથમાં પકડીને વ્યાખ્યાન વાંચવું પડતું. આમ બંને હાથે પુસ્તકને પકડવામાં જ્યારે રિકવા પડતા, ત્યારે તે મુખવત્રિક સાધુઓ મુખ ઉપર બાંધતા હતા. એટલા માટે કે ઘૂંક પુસ્તક ઉપર ન પડે. પરંતુ હવે એવાં લાંબા લાંબા તાડપત્ર હાથમાં રાખીને વ્યાખ્યાન વાંચવું પડતું નથી. હવે તે ખાસ મજાનાં એકજ હાથમાં પકડી શકાય, એવાં કાગળનાં પાનાં ઉપર મથે છપાઈ ગયા છે; માટે આ જમાનામાં વ્યાખ્યાન વખતે તે મુખત્રિકા મહે ઉપર બાંધવાની જરૂર જણાતી નથી. એક હાથથી પાનાં પકડવામાં આવે અને એક હાથમાં મુખવસ્ત્રિકા રાખી મહે ઉપર બરાબર ઉપગ રાખવામાં આવે, તે ચાલી શકે તેમ છે. છતાં તે જૂને રિવાજ હજુ પણ કઈ કઈ સ્થળે દૃષ્ટિગોચર થાય છે. પણ ખરી રીતે વ્યાખ્યાન વખતે હે ઉપર બાંધવાનું કારણ દૂર થયેલું હોવાથી હવે તે રિવાજને પકડી રાખવાની કંઈ જરૂર જણાતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy