SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ મતે શિયાર અને સારું પ્રથમ નાયક હીરવિજયસૂરિએ તેવા સૂબાઓ અને રાજાઓને પણ વારંવાર ઉપદેશ આપી મહત્ત્વનાં કાર્યો કરાવ્યાં હતાં. યદ્યપિ નિg૨ વૃળ રજત એ ન્યાયથી હીરવિજયસૂરિને કેણ રાજા કે કેણુ મહારાજા, કેણ શેઠ કે કેણ સાહૂકાર અને કેણુ સૂબે કે કેણુ સુલતાન-કેઇની પણ દરકાર ન્હોતી. તેપણુ જીવેના કલ્યા ની જે ભાવના તેમના નિર્મળ અંતઃકરણમાં સ્થાપિત થઈ હતી, તેના લીધે કેઈ પણ જીવનું હિત કેમ થાય, એવા પ્રયત્ન કરવાને તેમનું મન પ્રત્યેક વખતે ઉલ્લસિત રહેતું; અને તેજ કારણથી અનેક કષ્ટ ઉઠાવીને પણ તેઓ સૂબાઓ વિગેરેના નિમંત્રણને માન આપી રાજ-દરબારેમાં જવા આવવાનું વધારે પસંદ કરતા. આ પ્રમાણે છે કે સૂરીશ્વરે પિતાની જીવનયાત્રામાં ઘણા સૂબાઓ અને રાજાઓને પ્રતિબંધવાનું ભાગ્ય પ્રાપ્ત કર્યું હતું, પણ તે બધાને અહિં ઉલેખ ન કરતાં માત્ર થોડાજ પ્રસંગને તપાસીશું. લાખાન.' વિ. સં. ૧૯૩ (ઈ. સ. ૧૫૭૪) ની લગભગમાં જ્યારે સૂરીશ્વરજી પાટણ પધાર્યા હતા, ત્યારે વિજયસેનસૂરિના પાટમહે ૧ કલાખાનનું ખાસ નામ ખાનેક્લાન મીર મુહમ્મદ હતું. તે અતલખાનને મહેટો ભાઈ થતું હતું. કામરાન અને હુમાયુનને આ સેવક ધીરે ધીરે અકબરના રાજ્યમાં ઊંચે દરજજે ચઢયા હતે. ઘણું બહાદુરી ભર્યા કામ કરીને તેણે સારી ખ્યાતિ મેળવી હતી. બાદશાહે કલીખાનને ઈ. સ. ૧૫૭ર માં ગુજરાતને ફરી જીતવા માટે આગળથી મોકલ્યો હતો. માર્ગમાં શિરોહીની પાસે કોઈ રાજપૂતે કંઈ પણ દેખીતા કારણ વિના તેને ઘાયલ કર્યો હતો, પણ તેમાંથી તે સાજો થશે અને ગુજરાત પર જીત મેળવ્યા પછી તે પાટણના સૂબા તરીકે નિમ. પાટણમાં તે ઇ. સ. ૧૫૭૪ માં મરણ પામ્યો હતો. વધુ હકીકત માટે જૂઓ આઈન-ઈ અકબરીને લાકમેનને અંગ્રેજી અનુવાદ, ભા. ૧ લો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy