SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ સૂણેશ્વર અને સાહ બદ્ધશ્રમનાં કે બીજા કેઈનાં નહિ, પરંતુ જનસાધુઓનાજ છે. અને તેના લીધે પરિણામે સત્ય ઇતિહાસ ઉપર જે કંઈ ઢાંકપિછેડે દેવાય છે, તે દેવાને વખત પણ કદાપિ આવતે નહિ. આ ઢાંક પિછડાને દૂર કરીને ઇતિહાસક્ષેત્રમાં સત્યસૂર્યને પ્રકાશ પાડવાનું સૈભાગ્ય અત્યાર સુધીમાં જે કંઈ પણ જૈનેતર લેખકે પ્રાપ્ત કર્યું હાય, તે તે એક (Akbar the Great Mogal) “અકબર ધી ગ્રેટ મોગલ” નામનું અતિ મહત્તવનું પુસ્તક લખનાર ડૉ.વિસેંટ. એ. સ્મીથ જ છે. ડૉ. મીથ, ઘણુ શોધ અને પરામર્શ પૂર્વક જાહેર કરે છે કે–અબુલફજલ અને બદાઉનીના ગ્રંથાના અનુવાદકેએ પોતાની અનભિજ્ઞતાનાજ કારણથી “જન' ના સ્થાનમાં બદ્ધ શબ્દને વ્યવહાર સર્વત્ર કર્યો છે, કારણ કે-અબ્દુલ ફજલે તે પોતાના ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું છે કે “સૂફી, દાર્શનિક, તાકિક, રમા, સુન્ની, શિયા, બ્રાહ્મણ, યતિ, સેવા, ચાર્વાક, નાજરીન, યહૂદી, સાબી અને પારસી વિગેરે દરેક ત્યાંના ધમનુશીલનને અપૂર્વ આનંદ લેતા હતા.” આ વાકયમાં “જન સાધુ” ને (નહિં કે ખાદ્ધસાધુ”ને) સૂચવનાર “યતિ” અને “સેવડા” શબ્દ આપેલા છે. છતાં ડૉ. સ્મીથ કહે છે તેમ, “ચલમર્સ” સાહેબે અકબર નામાના અંગરજી અનુવાદમાં ભૂલથી તેને અર્થ “જૈન” અને “બદ્ધ કર્યો. તે પછી તેનું જ અનુકરણ કરીને ઇલિયટ” અને “ડાઉસન,” કે જેઓ “મુસલમાની ઈતિહાસ સંગ્રહ ના કર્તા છે, તેમણે પણ તેજ ભૂલ કરી. અને આ ભૂલે “વૈનનોઅરને પણ પિતાના પુસ્તકમાં તેજ ભૂલ કરવાને બાધ્ય કર્યો. આમ એક પછી એક દરેક લેખકે ભૂલ કરતા ગયા અને એનું પરિણામ આપણે ત્યાં સુધી જોઈ શકીએ છીએ કે-અકબરના સંબંધમાં જૈનેતર ૧ જૂઓ, અકબરનામા, બેવરિજને અંગરેજી અનુવાદ, ખંડ છે, અધ્યાય ૪૫, ૫. ૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy