SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષ કાર્ય સિશિ. E મનુષ્યને બંદિ કરવાને નિષેધ, એ વિગેરે કામો મુખ્ય છે. વિજયસેનસૂરિના ઉપદેશથી બાદશાહે કરેલાં કાર્યોનું વિસ્તૃત વર્ણન વિજયપ્રશસ્તિકાવ્ય” વિગેરેમાં જોવામાં આવે છે. પં. દયાકુશલગણિ પણ લાભદયરાસ”માં વિજયસેનસૂરિના ઉપદેશથી બાદશાહે કરેલ કાર્યોને ઉલ્લેખ આ પ્રમાણે કરે છે “અકબર સહગુરૂકું બકસઈ તે સુણતાં હીઅડું વિકસાઈ; નગર ઠઠઉ સિંધ કચ્છ પાણું બહુલાં જિહાં મચ્છ. ૧૨૭ જિહાં હુંતાં બહુત સંહાર ધન ધન સહગુરૂ ઉપગાર; યાર માસ કે જાલ ન ઘાલઈ વિશેષઈ વલી વરસાલ. ૧૨૮ ગાય બલદ ભીંસિ મહિષ જેહ કદી કાએ ન માર તેહ;. ગુરૂવચનિ કે બંદી ન ઝાલઈ મૃતક કેરૂ કર ટાઈ.” ૧૨૮ આ ઉપરથી એ પણ જણાય છે કે વિજયસેનસૂરિના ઉપદેશથી બાદશાહે સિંધુ નદી અને કચ્છમાં જ્યાં ઘણા મોની જીવહિંસા થતી હતી, ત્યાં ચાર મહીના કોઈ જાળ ન નાખે, અને કઈ છવની હિંસા ન કરે, એ પણ હુકમ બહાર પાડી હતે. અત્યાર સુધીનાં વૃત્તાન્ત ઉપરથી આપણે જોઈ શકયા છીએ કે-આચાર્ય હીરવિજયસૂરિ, શાંતિચંદ્ર ઉપાધ્યાય, ભાનુચંદ્ર ઉપાધ્યાય અને વિજયસેનસૂરિએ અકબર બાદશાહ ઉપર પ્રભાવ પાડને અનેક જનહિતનાં, ધર્મની રક્ષાનાં અને જીવદયાનાં કાર્યો કરાવ્યાં હતાં. ગુજરાતમાંથી “જીજયાવેરે દૂર કરાવ્યું સિદ્ધાચલ, ગિરિનાર, તારંગા, આબુ, કેશરિઆ, રાજગૃહીના પહાડે અને સમેતશિખર વિગેરે તીર્થો Aવેતામ્બરાનાં છે, એ સંબંધી પરવાને લીધે સિદ્ધાચલજીમાં લેવાતું મૂડકું બંધ કરાવ્યું; મરેલા મનુષ્યનું ધન ગ્રહણ કરવાને અને યુદ્ધમાં બંદીગ્રહણ ૧ આ અસલ પરવાને અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં મેજૂદ છે. તેને અંગરેજી અનુવાદ રાજકેટની રાજકુમાર કોલે જના સુંશી સુહમા અબધાએ કર્યો છે. આ પરવાના ઉપરથી સ્પષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy