SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ સીર અને સમાહ. લેકમાં કહેવત છે કે રાજાએ કાનના કાચા અને બીજાની આંખે જેવાવાળા હોય છે.” આ કહેવતમાં કેટલેક અંશે તથ્ય અવશ્ય રહેલું છે. ઘણે ભાગે રાજાઓ પાર્શ્વવત્ત મનુષ્યના કહેવા પ્રમાણે વર્તાવ કરનારા વધુ જોવામાં આવે છે. પોતાની બુદ્ધિથી વિચાર કરીને કોઈ પણ વિષયમાં બારીકાઈથી તપાસ કર્યા પછી જ કામ કરનારા ઘણાજ ચેડા રાજાઓ જેવામાં આવે છે અને એનું જ એ પરિણામ છે કે ભારતવર્ષમાં હજુ પણ કેટલાંક દેશી રાજ્યની પ્રજા એટલી બધી ત્રસ્ત જોવામાં આવે છે કે-જેનું વર્ણન પણ આ પણાથી ન થઈ શકે. પાર્શ્વવર્તી મનુષ્યનું રમકડું બનનાર રાજા, પિતના રાજ્યધર્મને ભૂલી જાય, એમાં કંઈ નવાઈ નથી. જયારે આવા આગળ વધતા જમાનામાં પણ આવી સ્થિતિ જોવાય છે, તે પછી સેળમી કે સત્તરમી શતાબ્દીમાં અને તેમાં પણ અકબર જે બાદશાહ, વિદ્વાન ગણુતા પંડિતેના ભરમાવવાથી ભ્રમિત થઈ જાય, તે તેમાં અસંભવિત જેવું શું છે? ઉપર પ્રમાણે બ્રાહ્મણના કહે. વાથી બાદશાહના મનમાં કંઈક લાગી આવ્યું. તેણે વિજયસેનસૂરિના બેલાવ્યા અને બહારથી ક્રોધ ન બતાવતાં શાન્તિપૂર્વક પૂછ્યું-“મહારાજ, કેટલાક વિદ્વાન બ્રાહ્મણે આ પ્રમાણે કહે છે એનું કેમ?” સૂરિજીએ કહ્યું- જે આપની ઈચ્છા હોય તે આ વાતના નિર્ણયને માટે આપની અધ્યક્ષતામાં એક સભા ભરવામાં આવે. જેમાં આ વાતને નિર્ણય થઈ જાય, બાદશાહે આ વાતને સ્વીકાર કર્યો. તેણે દિવસ મુકરર કરી વિદ્વાનેની સભા ભરી. જેમાં ઘણું બ્રાહાણુ પંડિતે પિતાને પક્ષ સ્થાપન કરવા એકઠા થયા, જ્યારે જૈને તરફથી વિજયસેનસૂરિ અને નદિવિજય વિગેરે કેટલાક મુનિ હતા. ખાસ કરીને તે વિજયસેનસૂરિ એકજ કહી શકાય. આ સભામાં બન્ને પક્ષ તરફથી પોતપોતાને મત પ્રતિપાદન કરવામાં આવ્યું. અર્થાત્ બ્રાહ્મણએ “જૈને ઈશ્વરને માનતા નથી” એ પૂર્વપક્ષ ઉઠા, જ્યારે વિજયસેનસૂરિએ જેને ઈશ્વરને કેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy