SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ બીજું નામ માનસિંહનું છે. આ માનસિંહ, તેજ શ્રી જિ. નચંદ્રસૂરિના શિષ્ય હતા અને જેઓનું પ્રસિદ્ધ નામ શ્રીજિનસિંહ સૂરિ હતું. જ્યારે બાદશાહ કાશ્મીરની મુસાફરીએ ગયે હતું, ત્યારે જેમ ભાનુચંદ્રજીને સાથે લઈ ગયો હતો, તેમ માનસિંહ (જિનસિંહસૂરિ)ને પણ સાથેજ લઈ ગયે હતું અને જિનચંદ્રસૂરિ લાહેરમા રહ્યા હતા.કાશ્મીરની મુસાફરીથી આવ્યા પછી માનસિંહને મોટા ઉત્સવપૂર્વક આચાર્યપદવી આપવામાં આવી હતી, અને તે વખતે તેમનું નામ “જિનસિંહસૂરિ' સ્થાપન કરવામાં આવ્યું હતું માનસિંહની આચાર્યપદવીની ખુશાલીમાં બાદશાહે ખંભાતના બંદરમાં થતી હિંસા બંધ કરાવી હતી. તેમ લાહેરમાં પણ એક દિવસ, કેઈ પણ માણસ જીવની હિંસા ન કરે, એ પ્રબંધ કર્યો હિતે. કર્મચંદ્રમંત્રિએ આ પ્રસંગે ઘણું દ્રવ્ય ખરચીને ઉત્સવ કર્યો હતે. આપણે પહેલાં જઈ ગયા છીએ કે-જ્યારે શાંતિચંદ્રજી બાદશાહ પાસેથી વિદાય થયા, ત્યારે ભાનચંદ્રજીની સાથે તેમના સુગ્ય શિષ્ય સિદ્ધિચંદ્રજીને પણ રાખવામાં આવ્યા હતા. તે સિવાય ઉદચચંદ્રજી વિગેરે પણ તેમના કેટલાક વિદ્વાન્ શિષ્ય રહ્યા હતા. બાદશાહ સિદ્ધિચંદ્રજીને પણ બહુમાન આપતું હતું, જ્યારે ઉમરા વિગેરે તેમને બહુમાન આપે એમાં આશ્ચર્ય શું છે? કહેવાય છે કે એક વખત બહોનપુરમાં બત્રીસ ચેરો માયી જતા હતા, તે વખત દયાની લાગણીથી તેઓ બાદશાહને હુકમ સાલમાં લખનૌને ખરતરગચ્છનો પ્રાચીન પુસ્તકભંડાર તપાસતાં મળી આવ્યું હતું. અને તેની એક નકલ સરસ્વતી સમ્પાદક સાક્ષરરત્ન શ્રીયુત મહાવીરપ્રસાદ દ્વિવેદીજીને આપતાં, તેમણે “સરસ્વતી ના ઈ. સ. ૧૯૧૨ ના જૂનના અંકમાં તે ફરમાન પ્રકટ પણ કર્યું હતું.આ ફરમાનપત્રમાં બાદશાહે, હીરવિજયસૂરિના ઉપદેશથી સૂરિજીને પર્યુષણુના આઠ અને બીજા ચાર એમ બાર દિવસો સુધી જીવરક્ષાનું જે ફરમાન આપ્યું હતું, તેને પણ ઉલ્લેખ કરેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy