SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ , ૧૪૦ સૂરીશ્વર અને સાદું સૂરિજીના વચનને માન આપી બાદશાહે તુર્તજ તે બન્ને બાબતે બંધ કરાવી દીધી અને તે સંબંધી સરકારી હુકમે બહાર પાડયા. હીરવિજયસૂરિરાસના કર્તા કવિ ઋષભદાસે આ વખતની મુલાકાતનું વર્ણન આપતાં એમ પણ કહ્યું છે કે-“બાદશાહ અને સૂરિજીને ઉપર પ્રમાણે જાહેર વાર્તાલાપ થયા પછી, સૂરિજી અને બાદશાહ-એજ જણ એકાંતમાં વાત કરવા બેઠા હતાપરન્તુ ત્યાં શી વાત થઈ, તે કોઈના જાણવામાં આવી નથી.” કહેવાય છે કે-જે વખત સૂરિજી અને બાદશાહ એકાંતમાં વાત કરતા હતા, તે વખત મીઠે ગગ્યો, કે જેને ગમે તે વખતે બાદશાહ પાસે જવાની છૂટી હતી, ઉઘાડે માથે નમો નારાયUT કરતે બાદશાહ પાસે પહોંચી ગયે, એટલું જ નહિં, પરંતુ પિતાના સવભાવ પ્રમાણે કેટલીક હાસ્યજનક ચેષ્ટાઓ પણ કરવા લાગ્યા. બાદશાહે આ લપને દૂર કરવા માટે તેને શાલ આપી વિદાય કર્યો. એ પ્રમાણે ખાનગીમાં વાતચીત થયા પછી સૂરિજી ઉપાશ્રયે પધાર્યા. આ પ્રસંગે એક બીજી વાતનું સ્પષ્ટીકરણ કરવું જરૂરનું સમજાય છે. સૂરિજી પિતાની અત્યાર સુધીની સ્થિતિ દરમીયાન એકજ સ્થાને રહ્યા હતા, એમ નહોતું.વચગાળે તેઓ મથુરાની યાત્રા કરવા પણ પધાર્યા હતા. ત્યાં તેઓએ પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથની યાત્રા કરી હતી. તેમ જ બૂસ્વામી, પ્રભવવામી અને બીજા મહાપુરૂનાં કુલ ૫૭ રતૂપને વંદન કર્યું હતું. ત્યાંથી તેઓ ગ્વાલીયર પધાર્યા હતા. અને ત્યાં બાવન ગજ પ્રમાણુની ૩ષભદેવની મૂત્તિને વાસક્ષેપ પૂર્વક નમસ્કાર કર્યો હતો. તે પછી ત્યાંથી પાછા આગરે પધાર્યા હતા. આ વખતે મેડાના રહેવાસી સદાર સાહપૂર્વક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy