SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રતિશોધ. ' આ૫વાની તકલીફ ઉઠાવે છે, તે શાને માટે? “આપને ઉપકાર માનું છું એટલા શબ્દો સાંભળવા માટે? ના, જગના અને મારા કલ્યાણને માટે. મહાત્માને ઉપદેશ સાંભળ્યા પછી, તેમાંનું જે કંઈ પણ કાર્ય ન કરવામાં આવે, તે એમના ઉપદેશનું અને બન્નેના વખતને વ્યય થયાનું પરિણામ શું?” અકબર, પિતાની આ ઉદારભાવનાને લીધે જ જ્યારે ને ત્યારે, ઉપદેશ સાંભળવા પછી તે અવશ્ય એમ કહે કે-આપ મારા લાયક કંઈ કાર્ય ફરમાવે અને આપની ઈચ્છા હોય તે માગે.” - સુરિજીએ આ મુલાકાત વખતે એક મહત્વના કાર્યની માગણી કરી. સૂરિજીએ કહ્યું-“આપે આજ સુધી માગણું પ્રમાણેનાં ઘણાં સારું સારાં કામ કર્યા છે અને તેથી જે કે મને વારંવાર એવી માગણી કરતાં સંકેચ થાય છે, તે પણ બીજાઓના ભલાને માટે આજે હું એજ માગું છું. કે- આપને ત્યાં જે જીજીયા વેરે લેવામાં આવે છે તે, અને તીર્થોમાં જે મૂડકું લેવામાં આવે છે તે–આ બન્ને બાબતે આપે બંધ કરી દેવી જોઈએ. કારણ કે આ અને બાબતથી લેકેને ઘણે ત્રાસ ભેગવો પડે છે.” - - - ૧ જો કે, ખરી રીતે તે બાદશાહે પોતાના રાજ્યમાંથી આ વરે. ગાદીએ બેઠા પછી નવમે વર્ષેજ (ઈ. સ. ૧૫૬૨ માં) કાઢી નાખે હતો, અને તે વાત આપણે ત્રીજા પ્રકરણમાં જોઈ પણ ગયા છીએ, પરંતુ ગુજરાતમાંથી આ કર દૂર થયો હતો. કારણ કે તે વખતે ગુજરાત દેશ અકબરના આધિપત્ય નીચે જો આવ્યો. અતઃ એ સિદ્ધ થાય છે કે-હીરવિજયસૂરિના ઉપદેશથી જયારે બંધ કર્યા સંબંધી બાદશાહે જે ફરમાન આપ્યું હતું, તે ગુજરાતને લગતું હતું. આ વાત હીરસાભાગ્યકાવ્યની ટીકાથી પણ સિદ્ધ થાય છે. હીરોભાગ્યકાવ્યના ૧૪ મા સના ૨૭૧ મા શ્લેકની ટીકામાં લખ્યું છે– યહ વિરો: જીજયાવેર, એ ગુજરાતના કર વિશેષનું નામ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy