SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમા. જવાબ હાર આપણે એ વાતને સારી પેઠે જાણીએ છીએ કે-હીરવિજયસૂરિ ત્યાગી અને બિલકુલ નિરપૃહી પુરૂષ હતા. આવા નિઃસ્પૃહ મહાત્મા પ્રત્યે બાદશાહને સભાવ થાય, એમાં કઈ આશ્ચર્ય પામવા જેવું નથી. કારણ કે–બાદશાહમાં પણ એ માટે ગુણ હતો, કે તે નિઃસ્પૃહી, નિર્લોભી અને પિતાનાજ આત્માની બરાબર જગ ના તમામ આત્માઓને-તમામ પ્રાણિયોને જેનારા પ્રત્યે ખાસ કરીને વધારે પ્રેમ ધરાવતું હતું. અને પિતાના આવા ગુણના પ્રતાપે બાદશાહ, હીરવિજયસૂરિના ઉપદેશનું સન્માન કરે–સૂરિજીના ઉપદેશ પ્રમાણે કામ કરે, એમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. તેમ અકબર જેવા મુસલમાન સમ્રા આ ઉપદેશ-કઈ પણ જાતની સ્વાર્થ વૃત્તિ સિવાય માત્ર જગતનાજ કલ્યાણનાં–બીજા છનાં કલ્યાણનાં કાર્યોને ઉપદેશ જૈનસાધુ જેવા ત્યાગી-નિસ્પૃહી પુરૂષ સિવાય બીજું કે શું આપી શકે એમ હતું ? બાદશાહે હીરવિજયસૂરિજીના ઉપદેશથી પર્યુષણાના આઠ દિવસે અને બાકીના ચાર-એમ બાર દિવસ (શ્રાવણ વદિ ૧૦ થી ભાદરવા સુદિ ૬) સુધી પોતાના સમસ્ત રાજ્યમાં કોઈ પણ માણસ કઈ પણ જીવની હિંસા ન કરે, એ જે હુકમ બહાર પાડ, તેની છ નકલ કરવામાં આવી. જેમાંની ૧ ગુજરાત અને સૈારાષ્ટ્રમાં, ૨ દિલ્લી-ફતેપુર વિગેરેમાં, ૩ અજમેર, નાગપુર વિગેરેમાં, ૪ માળવા અને દક્ષિણ દેશમાં, ૫ લાહેર-સુલતાનમાં મેકલવામાં આવી અને છઠ્ઠી નકલ ખાસ સૂરિજીને સોંપવામાં આવી હતી. એ પહેલાં જ કહેવામાં આવ્યું છે કે આખુજલના મકાનમાં જે વખતે સૂરિજી અને બાદશાહને આપસમાં ધર્મચર્ચા થતી હતી, તે વખતે સૂરિજી અને બાદશાહ-અન્નેને ખુલ્લા દિલથી બહુ આનંદપૂર્વક વાર્તાલાપ થયે હતે. સૂરિજીએ આ વખતે બાદશાહને ઉપદેશ આપતાં જણાવ્યું કે-“મનુષ્ય માત્રે સત્યને સ્વીકાર કરવા તરફ રૂચિ રાખવી જોઈએ. જો કે, અજ્ઞાનાવસ્થામાં મનુષ્યો દુકમી કરી નાખે છે, પરંતુ જ્યારે તેઓને સત્યનું ભાન થાય, ત્યારે તેઓએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy