SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ • પ્રતિમા - પરતુ ફતેહપુરસીકરીના સુપ્રસિદ્ધ ડાબર તળાવને માટે પણ એ હુકમ કાઢયો કે ત્યાંથી કઈ પણ માણસ માછલાં વિગેરે જીની હિંસા કરે નહિં.” આ કાર્યને અમલ તેજ વખતે થવા માટે કેટલાક સિપાઈની સાથે શ્રીધનવિજયજી પિતે તે તળાવ ઉપર ગયા અને તમામ જોઈ લેકેને નિષેધ કરી ત્યાંથી દૂર કર્યા. હીરભાગ્યકાવ્યના કર્તાનું કથન છે કે-ડાબર તળાવમાં થતી હિંસા બાદશાહે શ્રી શાંતિચંદ્રજીના ઉપદેશથી બંધ કરી હતી. આ વખતે શેખ અબુલફજલના મકાનમાં સૂરિજીને અને બાદશાહને ઘણા લાંબા વખત સુધી ધર્મચર્ચા થઈ હતી. એકાન્ત પ્રસંગ હેવાથી જેમ બાદશાહે ખુલ્લા દિલથી વાતચીત કરી, તેમ સૂરિજીએ પણ યથાગ્ય શબ્દોમાં બાદશાહને ઉપદેશ આપવામાં કંઈ પણ ન રાખી. આ વખતની વાતચીતમાં સૂરિજીએ પ્રસંગ જોઈને પપણાના આઠ દિવસમાં અકબરના આખા રાજ્યમાં કોઈ પણ માણસ કેઈ પણ જીવની હિંસા ન કરે, એ હુકમ બહાર પાડવા બાદશાહને સચોટ ઉપદેશ કર્યો. બાદશાહે સૂરિજીના ઉપદેશને માન આપી તત્કાલ સૂરિજીના કહેવા પ્રમાણે પર્યુષણના આઠ દિવસે જ નહિ, પરંતુ પિતાના કલ્યાણ માટે તેમાં ચાર દિવસે વિશેષ ઉમેરીને બાર દિવસ (શ્રાવણ વદિ ૧૦ થી ભાદરવા સુદિ ૬ સુધી)ને હુકમ બહાર પાડવાનું કબૂલ કર્યું. અબુલફજલે આ વખતે બાદ શાહને નમ્રભાવથી એવી ભલામણ કરી કે-“આ હુકમ આપ ખુદાવિદ તરફથી એવી રીતે બહાર પાડવા જોઈએ કે જે પેઢીની પિઢિયે સુધી કાયમ રહે ”બાદશાહે કહ્યું કે- તમેજ ફરમાનપત્ર લખે.” અબુલફજલે પિતે ફરમાનપત્ર લખ્યું અને તે પછી તે બાદશાહના સહી સીક્કા સાથે તેના સમસ્ત રાજ્યમાં મોકલવામાં આવ્યું. આ ફરમાનપત્રમાં સહી સીકકે થઈ ગયા પછી, તે રાજસભામાં વાંચવામાં આવ્યું. અને તે પછી બાદશાહે પોતના હો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy