SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરીશાર અને સામાન્ય રસ્તે થઈને ફતેપુર–સીકરી પધાર્યા, તે રસ્તાને નિર્ણય હીરવિજયસૂરિરાસ, હીરભાગ્ય કાવ્ય, વિજય પ્રશસ્તિ, અને લાભદય રાસ ઉપરથી કરવામાં આવ્યું છે. અને તે ઉપરથીજ “ટ્રિામેટ્રિકલ સર્વેના નકશાઓ સાથે મેળવીને સૂરિજીના વિહારને નકશો તૈયાર કરાવવામાં આવ્યો છે, કે જે આ સાથે જોડવામાં આવ્યું છે. પ્રકરણ પાંચમું. પ્રતિબોધ, જે ચેષ્ઠ વદિ ૧૩ ને દિવસ છે. પ્રાતઃકાલ - તાજ થાનસિંધ વિગેરે આગેવાન ગૃહસ્થ સૂરિ ધરી છની પાસે આવી પહોંચ્યા. સૂરિજીના હૃદયમાં કીક) તે સ્વાભાવિક આનંદને સંચાર થઈ રહ્યો છે. જે કાર્યને માટે, મહટાં કષ્ટ ઉઠાવીને સેંકડે ગાઉની મુસાફરી કરી સૂરિજી અહિં પધાર્યા છે, તે કાય નું મંગલાચરણ આજે જ કરવાનું તેમણે અંતઃકરણમાં ધાર્યું છે. અને તેટલાજ માટે, કઈ પણ શુભકાર્યને પ્રારંભ કરવા પહેલાં મંગલ નિમિત્ત-તે કાર્ય નિવિનપણે પૂરું પડે તેને માટે પ્રત્યાખ્યાન (સંક૯૫) પણ સૂરિજીએ આમિલનુજ કર્યું છે એટલું જ નહિ પરંતુ સૂરિજીની ઈચ્છા પણ પ્રાતઃકાલથી એવીજ થઈ કે-ઉપાશ્રયે પણ કાર્યની શરૂઆત કર્યા પછીજ જવું. ૧ બિલ, જેનેની એક તપસ્યા વિશેષનું નામ છે. આ તપસ્યાના દિવસે માત્ર એક જ વખત અને તે પણ ઘી, દૂધ, દહિ, ગોળ વિગેરે વસ્તુઓથી રહિત અથતુ નીરસ ભેજન કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy