SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ આમત્રણ. જીના ઉપદેશ શ્રવણુ કર્યાં. જેને પરિણામે તેણે કાઇ પણ નિરપરાધી જીવને નહિ હણવાના નિયમ ગ્રહણ કર્યાં. એ પ્રમાણે સહસા અર્જુનને પ્રતિમાધી સૂરિજી આખૂની યાત્રા માટે આબૂ પધાર્યાં. આમૂનાં મદિરાની કારિગિરી જોઇ સૂરિજીને ઘણીજ પ્રસન્નતા થઈ. આમ્રૂથી સિરાહી પધાર્યાં. સિરાહીના રાજા સુરત્રાણે ( દેવડા સુલતાને) સૂરિજીના સારા સત્કાર કર્યાં, એટલુંજ નહિ' પરન્તુ સૂરિ જીના ઉપદેશથી તેણે મદિરાપાન, શિકાર, માંસાહાર અને અને પ૨શ્રી સેવન-એ ચાર આમતે નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી. તે પછી સૂરિજી ત્યાંથી સાદડી થઇ રાણકપુરની યાત્રાએ ગયા. અહિના મ'હિરની વિશાળતા, કે જે સૃષ્ટિની સપાટી ઉપર અદ્વિતીયતા ભોગવે છે, તે જોઇ સૂરિજીને ઘણેજ આનંદ થયા. ત્યાંથી પાછા તેઓ સાદડી આવ્યા. સૂરિજીની સેવામાં આવવાને વરાડથી નિક ળેલ શ્રીકલ્યાણવિજય ઉપાધ્યાય પણુ સૂરિજીને અહિંજ મળ્યા. 'અહિંથી તેઓ આઉઆ સુધી સૂરિજીની સાથેજ રહ્યા અને પછી પાછા વળ્યા. આઉઆના સ્વામી વિષ્ણુક્ ગૃહસ્થ તાલ્હાએ સૂરિજીના પધારવાથી ઉત્સવ કર્યો, અને પિરાજિકા નામનુ નાણુ દરેક માણસને વ્હેચ્યું ત્યાંથી સૂરિજી મેડતે પધાર્યા. મેડતામાં બે દિવસની સ્થિરતા કરી. અહિંના રાજા સાદિમસુલતાને પણ સૂરિજીને સારૂં' માન આપ્યુ હતું. ભારતવષ ઉપર એક છત્ર સામ્રાજય ભોગવનાર મદશાહ અકબરે જ્યારે સૂરિજીને અહુમાન પૂર્વક તેડાવ્યા છે, તે પછી તેની મહત્તા ધરાવનાર સૂરિજીનુ' બીજા ન્હાના રાજાએ બહુમાન કરે, એમાં આપણને કઈ પણ આશ્ચર્ય પામવા જેવું જણાશે નહિ; પરન્તુ સૂરિજીના ઉપટ્ટેશમાં રહેલી અદભુતશકિત, આપણને આશ્ચય પમાડ્યા વિના રહેતી નથી. સાથી પહેલાં તે તેની ગંભીર અને શાન્ત મુખમુદ્રા લેાકાને આકષ ણુ કરી લેતી, અને તે પછી શુદ્ધચારિત્રના ર'ગથી રંગાએલા તેમના ઉપદેશ પ્રવાહ એવા નિકળતા કે ગમે તેવાને પણ તેની અસર થયા વિના રહેતી નહિ. 13 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy