SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ સોલાર અને સારા લ બની ગયા. તેણે ઉપયુંકત તમામ વાત ધ્યાનમાં લઈ બાદશાહ ઉપર એક લાંબે પત્ર લખ્યું. તેમાં તેણે એ પણ જણાવ્યું કે હીરવિજયસૂરિ ગંધારથી પગે ચાલીને અહિં પધાર્યા છે. તેઓને આપની આજ્ઞા પ્રમાણે તમામ પ્રકારની સામગ્રી પૂરી પાડી; પરન્તુ પિતાના ધર્મની રક્ષાને માટે તેમણે કંઈપણ વસ્તુને સ્વીકાર કર્યો નથી. સરકાર, હું આપને શું નિવેદન કરૂં? હીરવિજયસૂરિ એક એવા ફકીર છે કે તેમની જેટલી તારીફ કરવામાં આવે, તેટલી ડીજ છે. તેઓ પૈસાને ( દ્રવ્યને અડી પણ શકતા નથી. પગે ચાલે છે. કઈ પણ વાહનમાં બેસતા નથી અને પ્રિયેના સંસર્ગથી સર્વથા દૂર રહે છે. વિગેરે એમના એવા કઠિન આચારે છે કે જ્યારે આપને તેઓ મળશે, ત્યારે આપની ખાતરી થશે.” અમદાવાદમાં થોડાજ દિવસની સ્થિરતા કરી સૂરિજીએ આગળ વિહાર કર્યો. મેંદી અને કમાલ ના મને જે બે મેવાડા અકબર બાદશાહ પાસેથી આમંત્રણપત્ર લઈને આવ્યા હતા, તેઓ અત્યાર સુધી અમદાવાદમાં જ રહ્યા હતા. તેઓ પણ સૂરીશ્વરજીની સાથેજ ચાલ્યા. અમદાવાદથી વિહાર કર્યા પછી ઉસંમાનપુર, સેહલા, હાજીપુર, બેરીસાણ, કડી, વીસનગર અને મહેસાણું વિગેરે થઈ સૂરિજી પાટણ પધાર્યા. અહિં સૂરિજી સાત દિવસ રહ્યા, તે દરમીયાન કેટલીક પ્રતિષ્ઠાઓ પણ કરી. અહિથી શ્રી વિમલહર્ષ ઉપાધ્યાયે પાંત્રીસ સાધુઓ સાથે આગળ વિહાર કર્યો. અને તે પછી સૂરિજીએ વિહાર કર્યો. સૂરિજી વડલીમાં પિતાના ગુરૂ વિજયદાનસૂરિના સ્તૂપને (પાદુકાને વંદન કરી સિદ્ધપુર પધાર્યા. વિજયસેનસૂરિ અહિંથી પાછા પાટણ પધાર્યા; કારણ કે-સંઘની-સાધુઓની સંભાળ રાખવાને તેઓને ગુજરાત માં જ રહેવાનું નક્કી થયું હતું. સિદ્ધપુરથી આખૂની યાત્રા માટે વિહાર કરતાં સૂરિજી સરેતર (સત્રા ) થઈ રહ પધાર્યા, અહિં સહસા અર્જુન નામક ભલેને ઉપરી રહેતું હતું, તેણે અને તેની આઠ સિયાએ સૂરિજીની સાધુવૃત્તિથી પ્રસન્ન થઈ સૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy