SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરીશ્વર અને સાહ, માતર અને બારેજા વિગેરે થઈ અમદાવાદ આવ્યા. અમદાવાદના શ્રાવકેએ મહેટા આડબંર સાથે સૂરિજીને પ્રવેશોત્સવ કર્યો. અહિંને સૂબે શિહાબખાન, જે કે એક વખત સૂરિજીને ઉપદ્રવ કરવાવાળે હતું, અને તેથી અત્યારે સૂરિજીને મળવું, એ એને માટે કઠિનતાવાળું થઈ પડ્યું હતું, અર્થાત્ તેને પગ ભારે થઈ ગયે હતા, તે પણ મનમાં ધૈર્ય ધારણ કરીને તે પોતાના રસાલા સાથે સૂરિજીની હામે ગયે અને સૂરિજીના ચરણકમલમાં મસ્તક ઝુકાવી તેણે સૂરિજીને પ્રણામ કર્યું. સૂરિજીના શહેરમાં આવ્યા પછી એક વખત શિહાબખાને સૂરિજીને પિતાના દરબારમાં પધરાવ્યા અને તેઓની આગળ હીરા, માણેક, મેતી વિગેરે ઝવેરાત અને બીજુ દ્રવ્ય મૂકી તે કહેવા લાગ્ય– “મહારાજ ! આ વસ્તુઓ આપ આપની સાથેજ લઈ જાઓ. આ સિવાય હું હાથી, ઘેડા અને પાલખી વિગેરે પણ માની સગવડતાને માટે આપને આપું છું. તે પણ સ્વીકારી આપ દિલ્લીશ્વરને જઈ મળે. આપની સાથે આ બધી સામગ્રી રહેવાથી આપને માર્ગમાં કઈ પણ જાતની તકલીફ પડશે નહિં. રસ્તે ઘણે લાંબો છે, આપની પણ અવસ્થા લગભગ વધારે થયેલી છે. માટે આ બધા સાધનો આપે સાથે રાખવાં જરૂરનાં છે. “ મહારાજ ! આ સિવાય હું આપની પાસે એક વાતની વારંવાર માફી માગું છું અને તે એજ છે કે–મેં આપના જેવા મહામા પુરૂષને હેાટી તકલીફ આપી હતી. હું એ તુચ્છ મનુષ્ય છું કે, મેં આપને પહેલાં સમાગમ કરીને પરિચય ન કર્યો, અને એકદમ નેકરના કહેવા ઊપરથી આપના ઉપર મહેાટે ઉપદ્રવ કર્યો. આપ મારા તે અક્ષમ્ય ગુન્હાઓની માફી આપશે અને આપ મને એ આર્શીવાદ આપ કે મારા જે દુષ્ટ મનુષ્ય પણ તે મહેતા પાપથી બચવા પામે.” ' સૂરિજીએ આ વખતે પ્રસન્ન વદનથી એજ કહ્યું – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy