SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શિહાબખાન, ખુદ સમ્રાને આ પત્ર જોઇ એક વખત તે સ્તબ્ધજ બની ગયે, અને પિતાનું પૂર્વકૃત સમરણમાં આવ્યું. “આ તેજ હીરવિજયસૂરિને બાદશાહે આમંત્રણ કર્યું છે કે-જેઓને મેં શેડાજ સમય ઉપર અનીતિપૂર્વક જુલમી ઉપદ્રવ કર્યો હતે. અરે, આજ હીરવિજયસૂરિ એક વખત મારા ડરથી એવી આફતમાં આવી પડ્યા હતા કે– તેમને ઉઘાડા શરીરે મારા દુષ્ટ સિપાઈના પંજામાંથી નાસવું પડયું હતુ” ઈત્યાદિ વિચારોની ભરતી તેના હૃદયસાગરમાં થવા લાગી. અને તેની સાથેજ સાથે “આવા મહા ત્માને આપેલા કષ્ટ માટે તેના હૃદયમાં અસાધારણ પશ્ચાત્તાપ થવા લાગ્યું. પણ પાછળથી “ન જો િત ન મળે' એ નિયમનું અવલંબન કરી, પિતાના માલિકની આજ્ઞાને કેમ જલદી અમલ થાય એજ વાત તેણે હાથમાં લીધી. તેણે અમદાવાદના પ્રસિદ્ધ પ્રસિદ્ધ આગેવાન જૈન ગૃહસ્થને બોલાવ્યા. તેઓ બધા એકઠા થયા. પછી શિહાબખાને આગરાના શ્રાવકોને પત્ર તેઓને આપે અને પિતાના ઉપરને બાદશાહને પત્ર પણ વાંચી સંભળાવ્યું. તે ઉપરાંત તેણે એ પણ કહ્યું કે જ્યારે સમ્રાટુ આવા માનપૂર્વક હીરવિજયસૂરિજીને આમંત્રણ કરે છે, તે પછી તમારે તેઓને ત્યાં જવા માટે ખાસ કરીને વિનતિ કરવી જોઈએ. આ એવું માને છે કે-જે માન બાદશાહ તરફથી અત્યાર સુધી કેઈને પણ મળ્યું નથી. સૂરીશ્વરજીના પધારવાથી તમારા ધર્મનું ગૈારવ વધશે, અને તમારી પણ કાત્તિમાં વધારો થશે. એટલું જ નહિ પરંતુ, હીરવિજયસૂરિજીની શિષ્ય પરંપરાને માટે પણ આ પ્રાથમિક પ્રવેશ ઘણું જ લાભદાયક થઈ પડશે. માટે કંઈ પણ જાતની “ હા ” “ ના કર્યા સિવાય હીરવિજયસૂરિને જરૂર ત્યાં જવા માટે સમ્મતિ આપ. મને ખાતરી છે કે–તેઓ ત્યાં જઈને જરૂર બાદશાહ ઉપર પિતાને પ્રભાવ પાડશે, અને બાદશાહ પાસે સારાં સારાં કામ કરાવશે.” આની સાથે ખાને એ પણ કહ્યું કે સૂરિજીની રસ્તાની સગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy