SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરીશ્વર અને સમ્રા પ્રકરણ ચોથું. આમંત્રણ ત પ્રકરણમાં આપણે જોઈ ગયા છીએ કે, અકબરે ઈ. સ. ૧૫૭૯ માં “દીન–ઈ–ઈલાહી' નામના એક સ્વતંત્ર ધર્મની સ્થાપના કરી હતી. આ પ્રમાણે વસ્ત્ર ધર્મની સ્થાપના કરવા પહેલાં તેણે ઈ. સ. એક ક ૧૫૭૫ માં એક ઇબાદતખાનાની સ્થાપના કરી હતી કે જેને આપણે ધર્મસભા તરીકે ઓળખીશું.આ સભામાં તેણે સૌથી પહેલાં તે કેવળ મુસલમાની ધર્મના જુદા જુદા ફિરકાઓના વિદ્વાન માલવિયેનેજ દાખલ કર્યા હતા. તેઓ હંમેશાં આપસમાં વાદાનુવાદ કરતા અને અકબર તે બધું બરાબર સાંભળતે. ખાસ કરીને શુક્રવારના દિવસે તો અકબર આ સભામાં ઘણે વખત વ્યતીત કરતે. લગભગ ત્રણ વર્ષ સુધી તે આ પ્રમાણે એકલા મુસલમાને જ ધર્મચર્ચા કરતા રહ્યા, પરંતુ તેનું પરિણામ સારૂ આવ્યું નહિં. જે મુસલમાને અકબરની સમક્ષ વાદવિવાદ કરતા હતા; તેઓમાં ધીરે ધીરે પક્ષે બંધાઈ ગયા, અને તે બન્ને પક્ષવાળાઓ એક બીજાને ખોટા ઠરાવવાનાજ પ્રયત્ન કરતા. આ બન્ને પક્ષે પકી એકને આગેવાન સુખમુમુક’ હતું, અને બીજા પક્ષને આગેવાન અબદુલ્લાબી હો, કે જેને “સદસદૂર” ની પદવી હતી. આ બન્ને પક્ષમાં ધીરે ધીરે એવી ચકમક ઝરવા લાગી કે–જેને લીધે અકબરને “હે વ ાથ તરપર ના બદલે તેથી વિરૂદ્ધજ ફળ જણાવા લાગ્યું. છેવટે ઝગડે વધી પડતાં અકબરની તે બન્ને પક્ષે ઉપર સર્વથા અરૂચિ થઈ ગઈ. અકબરના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy