SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમા-પશિય. રહેતાં), આ પ્રમાણેની સેના ઉપરાન્ત ચાર હજાર હરિણ, બાર હજાર ચિત્તા, પાંચસો વાઘ, સત્તર હજાર શકરા અને બાવીસ હજાર બાજ વિગેરે જાનવરો હતાં. સાત હજાર ગાનાર અને અગીયાર હજાર ગાનારી હતી. તે સિવાય અકબરના દરબારમાં પાંચ પંડિતે, પાંચ હેટા પ્રધાને, વીસ હજાર કારકુને અને દસ હજાર ઉમરા હતા. ઉમરાવમાં આજમખાન, ખાનખાના, ટોડરમણ, શેખ અબુલફજલ,બીરબલ, ઇતમાદખાન,કુતુબુદ્દીન,શિહાબખાન ખાનસાહેબ, તલખાન, ખાનેકિલાન, હાસિમખાન, કાસિમખાન નૈરંગખાન, ગુજરખાન, પરવેજ ખાન, દિલતખાન, નિજામુદીન અહમદ અને શાહ શમસુદ્દીન વિગેરે મુખ્ય હતા. અતગબેગ અને કલ્યાણરાય એ બે ખાસ અકબરની પાસે જ રહેનારા હજૂરીયાહતા. વળી અકબરને ત્યાં સેલ હજાર સુખાસન, પંદર હજાર પાલખિયે, આઠ હજાર નગારાં, પાંચ હજાર મદનભેર, સાત હજાર વજાઓ, | પાંચસે બિરૂદ બેલવાવાળા, ત્રણ વૈદ્યો, ત્રણસે મદ્યને બનાવનારા અને સલસે સુતાર હતા. તે સિવાય છયાસી મનુષ્ય સમ્રાટ્રને આભૂષણ પહેરાવવાવાળા, છયાસી મરદન કરાવવાવાળા, ત્રણસે પંડિતે શાસ્ત્ર વાંચનારા અને ત્રણસો વાજી હતાં.” આ ઉપરાન્ત તે કવિ એમ પણ લખે છે કે-“ અકબરની તહેનાતમાં ક્ષત્રિ, રજપૂત, મુગલે, હબશી, રેમી, રેહેલા, અંગરેજ અને ફિરંગિયે પણ રહેતા હતા. ભેઈ વિગેરે પણ તેના દરબારમાં ઘણા હતા. પાંચ હજાર પાડા, વીસ હજાર કૂતરા અને વિસહજાર વાઘરી પણ રહેતા હતા. અકબરે એક એક કેસને આંતરે એક એક હજીરે બનાવ્યું હતું એવા એક ચિદ હજીરા તેણે કરાવ્યા હતા અને તે દરેક હજીરા ઉપર પાંચ પાંચ સીંગડાં ગોઠવ્યાં હતાં. વળી અકબરે દસ દસ ગાઉને આંતરે એક એક ધર્મ શાળા અને એક એક કૂ કરાવ્યું હતું, એટલું જ નહિ પરંતુ તે તે ઠેકાણે લેકેના આરામને માટે સુંદર વૃક્ષે પણ પાવ્યાં હતાં. અકબરે એક વખત એક એક હરિનું ચામડું, બબે સીગડાં અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy