SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ 34 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને પુરું પેટ ભરાયા સિવાય પિતાને ખાવાને હક્ક નથી, પિતાની પ્રજાને એક પણ માણસ દુઃખી કે નિરાધાર હોય ત્યાંસુધી સુખ કે ચેનમાં રહેવાને તેને ધર્મ નથી, એવું જે રાજાઓને ભાન ન હોય તેઓને એવું ભાન કરાવવા માટે અમારિ ધર્મની કડવી ગોળી આપતાં જ તેઓની આંખ લાલચોળ થવાની અને તેઓનાં હથિયારો આપણી વિરુદ્ધ ખણખણવાના. અમારિ ધર્મ એ કાંઈ દાન કે સખાવતનું નામ નથી, પણ એ તે મરતા અને કચરાતાને બચાવનાર ધર્મનું નામ છે. જેમ ઘણી વાર કેાઈને કાંઈ આપીને બચાવી શકાય છે, તેમ ઘણી વાર કોઈને કાંઈ અપાતું હોય તે બંધ કરીને પણ તેને અને બીજા ઘણાને બચાવી શકાય છે. રાજા બળજબરીથી પોતાની પ્રજાને પીડતો હોય, પ્રજાના સુખ દુઃખથી છુટા પડી ગયો હોય, ત્યારે તેજસ્વી અને બુદ્ધિમાન માણસનું કામ તે રાજાની સત્તા બુઠી કરી નાખવાનું હોય છે. તેની સત્તા બુઠી કરવી એટલે તેને કરવેરો ન ભરવો, તેના ખજાનામાં ભરણું ન ભરવું એ છે. એમ કરીને એ રાજાની સુધબુધ ઠેકાણે આણું એટલે તેનું પિતાનું અને તેની બધી પ્રજાનું કલ્યાણ થવાનું એક જગેએ બધું ધન એકઠું થઈ એક માણસના તરંગ પ્રમાણે ખર્ચાતું. અટકે અને બધાના જ લાભમાં સરખી રીતે ખર્ચાય એવી સ્થિતિ લાવવામાં દેખીતી રીતે કાંઈ આપવાપણું ન હોવા છતાં, ખરી રીર એમાં પણ તેજસ્વી અમારિ ધર્મ આવી જાય છે. એટલે અમારી ધર્મનું તાત્વિક સ્વરૂપ એવું છે કે તેમાંથી જેમ ગરીબ અને અશક્તો સખાવતોઠારા પિષણ મળે. જેમ મજૂર અને આશ્રિતોને સમાન હેંચણીદારા પિષણ મળે, તેમજ રાજા પાસે અર્થચૂસકનીતિ બંધ કરાવવાદ્વારા તેની બધી જ પ્રજાનું પિષણ પણ થાય અને સારી સાથે એ રાજાને પોતાની ફરજનું ભાન થઈ તેનું જીવન એશઆરામમ એળે જતું અટકે. જેમ અન્યાયી રાજા પ્રત્યે તેમજ પંડિત પુરોહિત અને બાવ ફકીર અને ધર્મગુરુઓ પ્રત્યે પણ આપણે અમારિ ધર્મ એ જ વસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004696
Book TitleParyushan Parvana Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherSukhlalji Sanghavi
Publication Year1931
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy