SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ આ અનુશાસન બધા લોકોનું છે, જે કઈ જેર પર આવેલા પિતાની વાણીના વેગને, મનના વેગને, ક્રોધના વેગને, તૃષ્ણાના વેગને, પેટના વેગને અને ઉપસ્થના વેગને સારી રીતે સહન કરે છે, તેને જ હું બ્રાહ્મણ કહું છું, મુનિ કહું છું. ક્રોધ કરનારાઓ કરતાં અક્રોધી ઉત્તમ છે, સહન નહિ કરનારાઓ કરતાં સહન કરનારો ઉત્તમ છે, જનાવર કરતાં માણસ ઉત્તમ છે અને અજ્ઞાની કરતાં જ્ઞાની જ ઉત્તમ છે. પંડિત પુરુષ અપમાન મળતાં અમૃત મળવા જેવી સંતૃપ્તિ અનુભવે. અપમાન પામેલો સુખે સૂએ અને અપમાન કરનાર નાશ પામે. જે કઈ કોંધી હાઈને યજ્ઞ કરે, દાન દે, તપ તપે, હેમ કરે, તેનું બધું યમરાજા હરી જાય છે. ક્રોધી માણસને એ બધો શ્રમ અફળ થાય છે.” હવે જૈન પરંપરાનાં આચારસંગસૂત્રનાં વચનોને સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે:– આ સંસારી જીવ અનેક કામમાં ચિત્તને દેડાવે છે. તે ચાળણું કે દરિયા જેવા લાભને ભરપૂર કરવા મથે છે તેથી તે બીજાઓને મારવા, હેરાન કરવા, કબજે કરવા, દેશને હણવા, દેશને હેરાન કરવા અને દેશને કબજે કરવા તૈયાર થાય છે. પરાક્રમી સાધકે ક્રોધ અને તેનું કારણ જે ગર્વ તેને ભાંગી નાખવાં અને લેભને લીધે મોટા દુઃખથી ભરેલી નરકગતિએ જવું પડે છે એમ જાણવું, માટે મોક્ષના અર્થી સાધક વીર પુરુષે હિંસાથી દૂર રહેવું અને શોક–સંતાપ ન કરવા. “હે પુરુષ ! તું જ તારે મિત્ર છે; શા માટે બહાર મિત્રને શોધે છે?” હે પુરુષ! તું તારા આત્માને જ કબજે કરી રાખીને દુઃખથી છૂટી શકીશ.” “હે પુરુષ ! તું સત્યને જ બરાબર સમજ. સત્યની આજ્ઞા પ્રમાણે વર્તનારા બુદ્ધિમાન સાધકો, મૃત્યુને તરી જાય છે અને ધર્માચરણ કરીને કલ્યાણને સારી રીતે જુએ છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy