SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ થાય એવા અનેક ઉલેખ પોતપોતાના શાસ્ત્રોમાં કરેલા છે, એવી કેટલી ય કથાઓ પણ ઉપજાવી કાઢેલી છે. એ જ રીતે જૈન પરંપરાના અને બૈદ્ધ પરંપરાના તાર્કિક પંડિતોએ વૈદિક પરંપરા સંબંધે અનેક ગેરસમજૂતીઓ પેદા થાય એવાં લખાણે પોતપોતાના ગ્રામાં નોંધેલાં છે અને એવી જ કેટલી ય દંતકથાઓ પણ જોડી કાઢેલી છે. એ જ પ્રમાણે જૈનપરંપરાના પંડિતોએ બૈદ્ધપરંપરાને વગોવવાનું અને બદ્ધપરંપરાના વિબુધાએ જૈન પરંપરાને વગોવવાનું ચાલુ રાખેલ છે. આને પરિણામે પડદર્શન અને પડદર્શનના તમામ સંપ્રદાયો પણ માંહમાંહે એક બીજાની નિંદા કર્યા સિવાય રહી શક્યા નથી. પરસ્પર તિરસ્કાર બતાવવા મિથાદષ્ટિ, નિનવ, નાસ્તિક વગેરે નવા નવા શબ્દો પણ તેમણે યોજી કાઢેલા છે. વિષ્ણુનો પૂજક શિવનું નામ ન લે; એટલું જ નહિ, “કપડું શીવવું' એવું “શિવ” ઉચ્ચારણવાળું વાક્ય પણ ન બેલે. મહાવીર બધે સરખા, છતાં ય લેતાંબરપરંપરાને જન દિગંબરમંદિરના મહાવીરની સામે પણ ન જુએ; અને દિગંબર પરંપરાને જૈન શ્વેતાંબર પરંપરાના મહાવીરને વીતરાગ પણ ન માને–આટલી હદે મામલો પહોંચી ગયેલ છે. વૈદિક પરંપરાને પંડિત કહેશે, કે અમે રવીકારેલ જ ઈશ્વર સર્વજ્ઞ છે, જૈન પરંપરાનો પંડિત કહેશે, કે અમારા તીર્થકરો, સિદ્ધા અને કેવળીએ સિવાય બીજો કોઈ સર્વજ્ઞ સંભવે જ નહિ. બૈદ્ધપરંપરાનો પંડિત વળી એમ કહેશે, કે બુદ્ધો સિવાય જગતમાં બીજો કોઈ સર્વજ્ઞ થઈ શકે નહિ. આવા આવા વિવાદ વધતાં વધતાં પડદર્શનનાં તમામ તર્કશાસ્ત્રો લેશમય બની ગયાં છે, અને એ શાસ્ત્રોને ભણનારા મૃદુ મનના છાત્રો ઉપર એ શાસ્ત્રો ભારે દુરાગ્રહની છાપ પાડી રહ્યાં છે. આ બધાનો નિવેડે વિચારોની ઉદારતા દ્વારા જ લાવી શકાય એમ છે. આગળ કહ્યા પ્રમાણે પ્રત્યેક સંતાનને પિતા તેને માટે પૂજનીય-માનનીય છે; તેમ પ્રત્યેક પરંપરાને પ્રવર્તક તેના અનુયાયીઓ માટે સર્વજ્ઞ જ રહેવાનું અને એ વિશે કોઈ પણ પરંપરાવાળાએ કશે પણ વાધો લે ન ઘટે. આવી ઉદારતા કેળવ્યા સિવાય આપણામાં સર્વધર્મસમભાવની વૃત્તિ ખીલી શકવાને સંભવ નથી. એકબીજાના દેવને અસર્વસુ, કુદેવ વગેરે કહી તેમનાં ધ. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy