________________
શ્રી તસ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૬૯ ઉદ્ધારસાગરેપમ થાય. શાસ્ત્રની અંદર બાદરનું કામ પડતું નથી પણ સૂક્ષ્મનું જ કામ પડે છે. બાદરનું વિવરણ તે સૂકમ સુખે કરીને સમજાય માટે કરેલું છે. તે એક એક વાળના જ્યારે અસંખ્યાતા ટુકડા કરીને પહેલાની પિઠે ખાડે ભરીને સમયે સમયે કાઢે ત્યારે સંખ્યાતા કેટવર્ષ પ્રમાણુ સૂફમઉદ્ધારપદ્યાપમ થાય તેના દશ કેડાછેડીનું એક સૂક્ષ્મઉદ્ધારસાગરેપમ થાય છે. આ સૂમઉદ્ધારપપમ અને સાગરેપમથી દ્વીપ અને સમુદ્રોની ગણતરી કરી શકાય છે.
- જ્યારે તે કુવામાંથી સો સે વર્ષે વાળ કાઢતાં કુવે ખાલી થાય ત્યારે પાદરઅદ્ધાપલ્યોપમ, અને એક વાળના અસંખ્યાતા કટકા કરીને ભરેલા કુવામાંથી સે સે વર્ષે વાળ કાઢતા ખાલી થાય ત્યારે સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ થાય છે. તે અસંખ્યાતા કટીવ પ્રમાણ થાય છે. આ ફિલ્મ અદ્ધાપાપમથી અને અદ્ધાસાગરેપમથી દેવતા, નારકી મનુષ્ય, અને તિર્યંના આયુષ્યની સ્થિતિ કાયસ્થિતિ તથા કમની સ્થિતિ ગણાય છે.
તે વાળના અગ્રભાગથી ભરેલા કુવાની અંદર તે વાળના અગ્રભાગને જેટલા આકાશ પ્રદેશ ફરસેલા હોય તે પ્રદેશમાંથી એક એક સમયે એક એક પ્રદેશ કાઢતા જ્યારે કુવો ખાલી થાય ત્યારે એક બાદક્ષેત્રપામ થાય. વાળના અસંખ્યાતા કટકા કરીને ભરેલા કુવામાંથી વાળને ફરસેલા અને નહિ ફરસેલા આકાશના પ્રદેશે દરેક સમયે એક એક કાઢવાથી બધા પ્રશે જ્યારે નીકળી રહે ત્યારે એક સૂફમક્ષેત્રપ પમ થાય.
આ સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ અને સૂફમક્ષેત્ર સાગરોપમથી પ્રાચે કરીને દૃષ્ટિવાદગત દ્રવ્યના પ્રમાણુની વિચારણા થાય છે. તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org